પંકજ પંડિત
ઝાલોદ પોલિસ સ્ટેશન ખાતે 13-03-2025 ગુરુવારના રોજ સાંજે 4 વાગે આગામી તહેવારોને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આવનાર દરેક ઉત્સવ સૌ કોઈ હળીમળીને શાંતિમય વાતાવરણ વચ્ચે ઉજવે તેમજ કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ કે ટકરાવ ન થાય તેની સૌ લોકો કાળજી રાખે તેમજ કોઈ પણ જાતના વાદવિવાદ કે તકરાર ન થાય તેવા સૌહાર્દ મય વાતાવરણ વચ્ચે રાજીખુશીથી અને પરિવારજનો ,નગરજનો દરેક ઉત્સવવોને ઉજવે તેવી અપીલ નગરના પી.આઈ એચ.સી.રાઠવા દ્વારા કરવામાં આવી હતી તેમજ કોઈ પણ સમસ્યા કે વાતાવરણ બગડે તેઓ માહોલ ક્યાય પણ જોવાય તો પોલિસના મિત્ર બની જણાવવા કહ્યું હતું તેમજ આગામી ઉત્સવની શુભકામનાઓ પણ પાઠવી હતી.

