ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા
ભાજપાની વિચારધારા સાથે જોડાશે જનજન: ગોરધન ઝડફિયાફતેપુરા વિધાનસભા ના બુથ પ્રમુખો સાથે ભાજપા પ્રદેશ ઉપાધ્યક્ષે બેઠક યોજીફતેપુરા વિધાનસભામાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત સુખસર ખાતે બેઠક યોજવામાં આવી હતી. સદસ્યતા અભિયાન અંતર્ગત પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં જીલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલિયર, ધારાસભ્ય રમેશભાઈ કટારા, સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ફતેપુરા વિધાનસભા માં ભાજપ સદસ્યતા અભિયાન શરૂ થયેલ છે. જેમાં સદસ્યતા અભિયાનને ઘર -ઘર સુધી પહોંચાડવા સંગઠન ના હોદ્દેદારો કામે લાગી ગયા છે. ગુરુવાર ના રોજ સુખસર ખાતે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ અને મધ્ય ઝોનના પ્રભારી ગોરધનભાઇ ઝડફિયા ની વિશેષ ઉપસ્થિતીમા બેઠક યોજાઇ હતી. જેમાં દાહોદ જિલ્લાના ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયર, ધારાસભ્ય રમેશભાઈ કટારા, મહામંત્રી નરેન્દ્ર સોની, સહ પ્રભારી કુલદીપ સિંહ, સહિત ચૂંટાયેલ સભ્યો, જિલ્લા ભાજપના વિવિધ મોરચા, વિવિધ સમિતિઓના સભ્યો, જિલ્લા સદસ્યો, હોદેદારો સાથે સદસ્યતા અભિયાનને ઘર -ઘર સુધી પહોંચાડવા રણનીતિ ઘડી હતી. દેશભરમાં ચાલી રહેલ ભારતીય જનતા પાર્ટી ના સદસ્યતા અભિયાન અંતર્ગત દરેક બુથ સુધી કઈ રીતે પહોંચવું અને ગ્રાઉન્ડ લેવલની કામગીરી અંગે ચર્ચા કરી હતી.

