શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં કેરિયર એડવાન્સમેન્ટ અંતર્ગત કેરિયર માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન થયું. જેમાં ડૉ. અજયભાઈ રાવલ અને
શ્રી પ્રકાશભાઈ રબારી ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમમાં ડૉ. વાય. પી. ઝાલા દ્વારા મહેમાનશ્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું. ડૉ. અજયભાઈ રાવલ દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન પછી આગળ ભણવા માટે કયા કયા કોર્સ કરી શકાય તથા ક્યાં ક્યાં નોકરીની તકો રહેલી છે તે અંગે ઊંડાણ પૂર્વક માહિતી આપવામા આવી. તેમજ NEP 2020ની વિશેષતાઓ અંગે જાણકારી આપવામાં આવી. શ્રી પ્રકાશભાઈ રબારી દ્વારા વોકેશનલ કોર્સ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને માર્ગદર્શન મેળવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન ડૉ. વાય. પી. ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું.

