પંકજ પંડિત
શ્રીકે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદમાં વસંતપંચમી નિમિત્તે વસંતોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સરસ્વતી પૂજન, શ્લોકગાન અને કાવ્ય પઠાણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ડૉ. ડી. સી યાદવ દ્વારા પ્રાસંગિક ઉદબોધન આપવામાં આવ્યું તેમજ પ્રાધ્યાપક સવિતાબેન ચૌધરી, ડૉ. દિલીપ ચૌહાણ અને ડૉ. સંગીતા વહિયા દ્વારા નિર્ણાયક ભૂમિકા ભજવવામાં આવી હતી. જેમાં પ્રથમ ક્રમાંકે કોળી અપેક્ષા, બીજા ક્રમે ગરાસીયા સોનિયા અને ત્રીજા ક્રમે સંગાડા સેફાલી આવ્યાં હતાં. આ કાર્યક્રમનું સંચાલન ડૉ. અનિતા પાદરીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

