પંકજ પંડિત
શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદમાં C.W.D.C અંતર્ગત ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કોલેજના કાર્યકારી આચાર્ય ડૉ. એ.આર.મોદીએ મહિલાઓની સલામતી અને જાગૃતિ માટે શૈક્ષણિક સંકુલમાં C.W.D.C કાર્યરત હોવાનું જણાવ્યું હતું. C.W.D.Cના કન્વીનર પ્રાધ્યાપક સવિતા ચૌધરીએ આ અંગેની ભૂમિકા અને માહિતી આપી હતી. તથા ભારતી મોદીએ આવનારા કાર્યક્રમની માહિતી આપી હતી. આભારવિધિ ડૉ. સંગીતા વહિયાએ અને સંચાલન ડૉ. અનિતા પાદરીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

