Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ ખેતી માટે બનાવવામાં આવેલ કેનાળો સાફ સફાઈના અભાવે ખેડૂતોને ખેતી માટેના પાણી માટે વલખાં

પંકજ પંડિત

જવાબદાર અધિકારીઓ કેનાળની સફાઈની ગ્રાન્ટ ક્યાં વાપરે છે તે નગરમાં ચર્ચાનો વિષયહાલ નગરમાં શિયાળો ચાલે છે તેથી ખેડૂતો પોતાની જમીનમાં ઘઉંનુ વાવેતર વધુ કરતા હોય છ. ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા દરેક ગામો અને છેવાડાના ખેડૂતને પાણી સમયસર મળી રહે તે માટે પાણીની કેનાળો બનાવવામાં આવેલ છે સરકાર દ્વારા આ પાણીની કેનાળોની સાફ સફાઈ તેમજ ખેડૂતોને પાણી સમયસર મળી રહે તે માટે કેનાળની સાફ સફાઈ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ જવાબદાર અધિકારીઓ આ ગ્રાન્ટનો ઉપયોગ પુરો કરતા નથી તેમજ ફક્ત દેખાડો કરવા અવ્યવસ્થિત કેનાળોની સફાઈ કરે છે તેથી ગરીબ ખેડૂતોને પાણી ન મળતાં રોવાનો વારો આવે છે તેમજ પાક નિષ્ફળ જાય તેવું પણ બને છે.

ગરીબ ખેડૂતની આ અંગે રજૂઆત કરે તોય કોઈ સાંભળનાર હોતું નથી. કેનાળોની સાફ સફાઈ દિવાળી પહેલા થઈ જવી જોઈએ પણ હજુ સુધી કોઈ સફાઈ થઈ હોય તેવું જણાતું નથી. ગરીબ ખેડૂતને મોંઘવારીમા પોતાનો પાક બચાવવા આસપાસના કૂવા માથી કે નદી તળાવ માંથી મશીનો અને પાઈપ ભાડે લાવી પાણી લેવું પડે છે તો તે તેમને ખૂબ મોંઘુ પડે છે સરવાળે ખેડૂત બિચારો મોંઘવારીમા પીસાઈ જાય છે. હાલ આ પ્રશ્ન મુવાડામા આવેલ બી.એસ.એન.એલ ઓફિસ પાછળના ખેડૂતોને કેનાળ માથી પાણી મળતું નથી તેનો છે તો જવાબદાર અધિકારીઓ પોતાની આળસ ખંખેરી સરકારી ગ્રાન્ટનો ઉપયોગ પોતાની સાચી દિશામાં ખેડૂતો માટે ઉપયોગ કરે તેનો છે. જોઈએ જવાબદાર તંત્ર કેટલા દિવસમાં આ અંગે પગલા લેશે કે પછી સબ ચલતા હૈ પ્રમાણે ચાલતું રહેશે.

Share

Related posts

ઝાલોદ તાલુકા કક્ષાનો ૭૯ માં સ્વાતંત્ર પર્વની ઉજવણી મુંડાહેડા ગામ ખાતે કરાઈ.

gujaratjanekta

ફતેપુરા મામલતદાર કચેરીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો દાહોદ જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિર્ગુડીનેઅધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

ફતેપુરા ખાતે કલાલ સમાજના કુળદેવતા સહસ્ત્ર બાહુ અર્જુન ની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial