પંકજ પંડિત
જવાબદાર અધિકારીઓ કેનાળની સફાઈની ગ્રાન્ટ ક્યાં વાપરે છે તે નગરમાં ચર્ચાનો વિષયહાલ નગરમાં શિયાળો ચાલે છે તેથી ખેડૂતો પોતાની જમીનમાં ઘઉંનુ વાવેતર વધુ કરતા હોય છ. ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા દરેક ગામો અને છેવાડાના ખેડૂતને પાણી સમયસર મળી રહે તે માટે પાણીની કેનાળો બનાવવામાં આવેલ છે સરકાર દ્વારા આ પાણીની કેનાળોની સાફ સફાઈ તેમજ ખેડૂતોને પાણી સમયસર મળી રહે તે માટે કેનાળની સાફ સફાઈ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ જવાબદાર અધિકારીઓ આ ગ્રાન્ટનો ઉપયોગ પુરો કરતા નથી તેમજ ફક્ત દેખાડો કરવા અવ્યવસ્થિત કેનાળોની સફાઈ કરે છે તેથી ગરીબ ખેડૂતોને પાણી ન મળતાં રોવાનો વારો આવે છે તેમજ પાક નિષ્ફળ જાય તેવું પણ બને છે.
ગરીબ ખેડૂતની આ અંગે રજૂઆત કરે તોય કોઈ સાંભળનાર હોતું નથી. કેનાળોની સાફ સફાઈ દિવાળી પહેલા થઈ જવી જોઈએ પણ હજુ સુધી કોઈ સફાઈ થઈ હોય તેવું જણાતું નથી. ગરીબ ખેડૂતને મોંઘવારીમા પોતાનો પાક બચાવવા આસપાસના કૂવા માથી કે નદી તળાવ માંથી મશીનો અને પાઈપ ભાડે લાવી પાણી લેવું પડે છે તો તે તેમને ખૂબ મોંઘુ પડે છે સરવાળે ખેડૂત બિચારો મોંઘવારીમા પીસાઈ જાય છે. હાલ આ પ્રશ્ન મુવાડામા આવેલ બી.એસ.એન.એલ ઓફિસ પાછળના ખેડૂતોને કેનાળ માથી પાણી મળતું નથી તેનો છે તો જવાબદાર અધિકારીઓ પોતાની આળસ ખંખેરી સરકારી ગ્રાન્ટનો ઉપયોગ પોતાની સાચી દિશામાં ખેડૂતો માટે ઉપયોગ કરે તેનો છે. જોઈએ જવાબદાર તંત્ર કેટલા દિવસમાં આ અંગે પગલા લેશે કે પછી સબ ચલતા હૈ પ્રમાણે ચાલતું રહેશે.

