Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

લોકોમાં ભારે રોષ – નેતાઓને મોઢા ઉપર કહી દિધું દેખાડાબાજી બંધ કરો

 વડોદરામાં ભારે વરસાદ બાદ નિર્માણ થયેલી પરિસ્થિતિમાં જનતા સાથે એક પણ નેતા ઉભો ન રહ્યો. વડોદરામાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે નેતાઓ નાગરિકોના રોષનો ભોગ બન્યા છે. ચૂંટણી સમયે લોકોની તકલીફમાં સાથ આપવાના બણગાં ફૂંકનારા નેતાઓ ખરા સમયે જનતાને કામ ન આવ્યા. શહેરના વિવિધ વિસ્તારોમાં નદીઓના પાણી ફરી વળતાં લોકોની હાલત કફોડી થઈ પરંતું નેતાઓ પોતાના બંગલામાં બેસી રહ્યાં. આવા સમયે લોકોની ભાળ ન લેનારા નેતાઓ સામે લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો.

 

ધારાસભ્ય મનીષા વકીલ હરણી વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં સ્થાનિકોએ ધારાસભ્યનો હુરિયો બોલાવ્યો હતો. છેલ્લા 3 દિવસથી હરણી વિસ્તારના લોકો મુસીબતમાં હતા. તેમ છતાં ધારાસભ્ય દેખાયા ન હતા. મોડે મોડે ધારાસભ્ય મનીષા વકીલ હરણી વિસ્તારમાં સફાઈ કરાવવા પહોંચતા લોકોએ રોષ ઠાલવ્યો હતો. લોકોને ખાવાના ફાંફા હતા ત્યારે ધારાસભ્ય પોતાના બંગલામાં બેસી રહી તમાશો જોયો અને હવે વ્હાલા થવાથી શું ફાયદો ?!! 

સરકારની પ્રિમોનસુન કામગીરી સામે પણ સવાલો લોકો ઉઠાવી રહ્યા છે ત્યારે જોવાનુ એ રહ્યુ કે શુ લોકોને પડતી તકલીફો દુર થશે કે પછી જૈ સૈ થે !??

Share

Related posts

ગાંધીનગર ટાઉનહોલખાતે ઉત્કર્ષ ચેરીટ્રેબલ ટેસ્ટ દ્વાર બ્રાહ્મણ ના દીકરા દીકરી ઓને જર્મન અભ્યાસ ઉચ્ચ અભ્યાસ તથા જોબમા

gujaratjanekta

અખીલ ભરતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ નેતા શ્રી રાહુલ ગાંધીના ઉપસ્થિતિમાં દાહોદ ખાતે 01.મેં 2022ના રોજ યોજાનાર ગુજરાત સ્થાપના દિવસના આદિવાસી જન ચેતના યાત્રા નો કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શહેરા તાલુકા શહેરમાં મિટિંગ યોજાઈ

gujaratjanekta

આદિવાસી સમાજનો યુવાન સાયકલ પર ઉત્તરાખંડની યાત્રા કરી પરત ફર્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial