સોલંકી કિશોરસિંહ.
દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક દાહોદ, ડો.રાજદીપસિંહ ઝાલાનાઓના અધ્યક્ષ સ્થાને તાલીમ શાળા પોલીસ હેડક્વાટર દાહોદ ખાતે વ્યાજ ખોરી કરતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા લોક દરબાર આયોજન કરવામાં આવ્યું હતું, જે લોકો વ્યાજ ખોરોની વ્યક્તિગત માહિતી આપી શકે અથવા તો તેમના વિરૂદ્ધ રૂબરૂ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી શકે છે, તેવી માહિતી પોલીસ અધિક્ષક ડૉ.રાજદીપસિંહ ઝાલા સાહેબે આપી હતી, આ વ્યાજ ખોરોને ડામવા જે લોકો વ્યાજ ખોરો થી પ્રસાડીત થયેલા લોકો આ લોક દરબારમાં આવ્યા હતા. આ લોક દરબાર માં દાહોદ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, નગરજનો દાહોદ શહેરના આગેવાનો તથા તમામ મીડિયા કર્મીઓને હાજર રહ્યા હતા.

