Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ ધર્મ દર્શન / રાશિફળ

ઝાલોદ પોલિસ દ્વારા આગામી તહેવારોને અનુલક્ષી નગરમાં ફૂટમાર્ચ કાઢવામાં આવી

પંકજ પંડિત

ટી.વાય.એસ.પી પટેલની આગેવાની હેઠળ સી.પી.આઇ રાઠવા અને પી.એસ.આઇ રાઠવા સાથે પોલિસ સ્ટાફ સાથે ફૂટમાર્ચ યોજાયું

ઝાલોદ નગરના ડી.વાય.એસ.પી પટેલની આગેવાની હેઠળ આજરોજ તારીખ 19-09-2023 મંગળવારના રોજ ઝાલોદ પોલિસ સ્ટેશનથી નગરના વિવિધ માર્ગો પર આગામી તહેવારો ગણેશ વિસર્જન અને ઇદને અનુલક્ષીને સુરક્ષા વ્યવસ્થા જાળવવા હેતુથી સી.પી.આઇ રાઠવા અને પી.એસ.આઇ રાઠવા તેમજ અન્ય પોલિસ સ્ટાફને સાથે રાખી નગરમાં ફૂટમાર્ચ યોજવામાં આવેલ હતું. કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તેમજ નગરના સહુ લોકો પ્રેમભાવ બનાવી તહેવારોની ઉજવણી કરે તે હેતુથી ફૂટમાર્ચ કાઢવામાં આવેલ હતી. નગરના દરેક તહેવારો શાંતિ સાથે ઉજવાય તેમજ કોઈ પણ તંગદિલીના સર્જાય તેવા ઉદ્દેશ સાથે નગરના મુખ્ય માર્ગો પર પોલિસ તંત્ર દ્વારા ફૂટમાર્ચ યોજવામાં આવેલ હતી.

Share

Related posts

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સંતરામપુર ખાતે પ્રાર્થના સભામાં શિક્ષણમંત્રીશ્રીના પિતાશ્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

gujaratjanekta

ફેંસલો / દિવાળી પહેલા સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય : લોકોને થશે મોટી રાહત – જાણો વધુ

gujaratjanekta

નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, દાહોદ ખાતે વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી કરવામાં આવશે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial