Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ ધર્મ દર્શન / રાશિફળ

ઝાલોદ પોલિસ દ્વારા આગામી તહેવારોને અનુલક્ષી નગરમાં ફૂટમાર્ચ કાઢવામાં આવી

પંકજ પંડિત

ટી.વાય.એસ.પી પટેલની આગેવાની હેઠળ સી.પી.આઇ રાઠવા અને પી.એસ.આઇ રાઠવા સાથે પોલિસ સ્ટાફ સાથે ફૂટમાર્ચ યોજાયું

ઝાલોદ નગરના ડી.વાય.એસ.પી પટેલની આગેવાની હેઠળ આજરોજ તારીખ 19-09-2023 મંગળવારના રોજ ઝાલોદ પોલિસ સ્ટેશનથી નગરના વિવિધ માર્ગો પર આગામી તહેવારો ગણેશ વિસર્જન અને ઇદને અનુલક્ષીને સુરક્ષા વ્યવસ્થા જાળવવા હેતુથી સી.પી.આઇ રાઠવા અને પી.એસ.આઇ રાઠવા તેમજ અન્ય પોલિસ સ્ટાફને સાથે રાખી નગરમાં ફૂટમાર્ચ યોજવામાં આવેલ હતું. કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તેમજ નગરના સહુ લોકો પ્રેમભાવ બનાવી તહેવારોની ઉજવણી કરે તે હેતુથી ફૂટમાર્ચ કાઢવામાં આવેલ હતી. નગરના દરેક તહેવારો શાંતિ સાથે ઉજવાય તેમજ કોઈ પણ તંગદિલીના સર્જાય તેવા ઉદ્દેશ સાથે નગરના મુખ્ય માર્ગો પર પોલિસ તંત્ર દ્વારા ફૂટમાર્ચ યોજવામાં આવેલ હતી.

Share

Related posts

દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન યુવકનું મોત થતાં પરિવારજનોમાં માતમ છવાયો

gujaratjanekta

આજે PM અંબાજીમાં 7200 કરોડથી વધુના મૂલ્યના વિવિધ વિકાસ યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે

gujaratjanekta

કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિનીકુમાર વૈષ્ણવ એ દાહોદ રેલવે ઇલેક્ટ્રોનિક લોકોમોટિવ પ્રોજેક્ટની મુલાકાત લીધી.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial