Gujarat Jan Ekta
તાજા સમાચાર
politics

બારગામ પાટીદાર સમાજ ઊંઝા આયોજીત વાર્ષિક સ્નેહ મિલન સમારંભમાં આરોગ્યમંત્રી વિશેષ ઉપસ્થિતિ રહ્યા

ઊંઝા ખાતે આજરોજ બારગામ પાટીદાર સમાજ દ્વારા વાર્ષિક સ્નેહ મિલન સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સમાજ એટલે વ્યક્તિઓનો સમૂહ. અને સમાજ ઉત્કર્ષ માટે સમાજે સતત શ્રેષ્ઠત્તમ કાર્ય કર્યુ છે મંત્રી એ ઉમેર્યું હતું કે સમાજની પ્રગતિમાં સમાજના શ્રેષ્ઠીઓએ નવીન બાબતો સ્વીકાર કરી આગળ ચાલવાનું નક્કી કર્યું છે. સમાજે પોતાની પ્રગતિ એક બીજાના ટેકે વિશ્વસમાં પથરાયેલ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિકસિત દેશમાં સમાજનું સ્થાન વિશેષ રહ્યુ છે મંત્રી એ ઉમેર્યું હતું કે કંઇ નવું કરવાની,સાહસ કરવાની હામને કારણે સમાજે પ્રગતિ કરી છે. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ ગુજરાતને મળે તે માટે પણ કામ કર્યું છે.તેમણે નવી શિક્ષણનિતિ બાબતે સમાજ શ્રેષ્ઠીઓને અવગત કર્યા હતા. મંત્રી એ નવી શિક્ષણ નિતીમાં ધર્મ પુસ્તક જેવા વિષયોને આવરી લેવાનું નક્કી કર્યુ છે. નવી શિક્ષણ નિતિ નવા ભારતનું નિર્માણ કરશે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય કે.કે.પટેલ,સમાજના અગ્રણીઓ,દાતા ઓ ,સમાજના મોભીઓ,શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

ગૃહ મંત્રાલયની આતંકી વિરુદ્ધ કાર્યવાહી, ખાલિસ્તાન ટાઈગર ફોર્સના અર્શ દલ્લાને આતંકી જાહેર કરવામાં આવ્યો છે

Admin

ભારત જોડો યાત્રા: હરિયાણામાં યાત્રાનો ત્રીજો દિવસ, કરનાલથી શરૂ થઈ

Admin

મિશન 2023 માટે ભાજપનો સર્વે રિપોર્ટ, સિંધિયા સમર્થક મંત્રીઓ સહિત 50 ધારાસભ્યો ડેન્જર ઝોનમાં!

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial