Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

કોરોના દર્દીઓથી ભરાઈ રહી છે ચીનની હોસ્પિટલો, ચિંતામાં WHO, ફરી આંકડા છુપાવવા લાગી જિનપિંગ સરકાર!

થોડા મહિનાની રાહત બાદ કોરોના વાયરસે ફરી એકવાર લોકોની ચિંતાઓ વધારવાનું શરૂ કર્યું છે. હાલમાં ચીનમાં તેની ભયાનક લહેર જોવા મળી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) કહે છે કે નવા કોવિડ વેવના ભય વચ્ચે, ચીનમાં હોસ્પિટલો ઝડપથી ભરાઈ રહી છે. ડૉ. માઇકલ રેયાને જણાવ્યું હતું કે ICU અત્યંત વ્યસ્ત હતા જ્યારે અધિકારીઓએ જણાવ્યું હતું કે સંખ્યા ‘પ્રમાણમાં ઓછી’ છે. ચીન દ્વારા જે ડેટા જાહેર કરવામાં આવી રહ્યો છે તે નિષ્ણાતોના અંદાજ, મીડિયા રિપોર્ટ્સ, તસવીરો અને સોશિયલ મીડિયાના વીડિયોથી બિલકુલ અલગ છે.

અહેવાલ અનુસાર, ચીનના આંકડા દર્શાવે છે કે બુધવારે કોવિડથી કોઈનું મોત થયું નથી, પરંતુ સંક્રમણની વાસ્તવિક અસર અંગે શંકા યથાવત્ છે. ચીનમાં કોવિડના કેસોમાં તાજેતરના ઉછાળા વચ્ચે બીજિંગ અને અન્ય શહેરોની હોસ્પિટલો ભરાઈ રહી છે. 2020 થી, ચીનમાં ‘ઝીરો કોવિડ પોલિસી’ હેઠળ કડક પ્રતિબંધો લાગુ છે. લાંબા સમય સુધી કડક લોકડાઉન દ્વારા બંધક બનાવાયા બાદ થોડા દિવસો પહેલા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. રાષ્ટ્રવ્યાપી વિરોધ બાદ સરકારે બે અઠવાડિયા પહેલા મોટાભાગના પ્રતિબંધોને હળવા કર્યા છે.

કેસ ઓછા છે તો ચીનના ICU કેવી રીતે ભરાઈ રહ્યા છે?

નિયમોમાં ઢીલ આપ્યા બાદથી કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ચીનમાં બૂસ્ટર ડોઝ લેતા લોકોની સંખ્યા ઘણી ઓછી છે, તેથી તેમના જીવ ગુમાવવાનું જોખમ, ખાસ કરીને વૃદ્ધો જેવા સંવેદનશીલ જૂથો માટે, વધ્યું છે. કેસોમાં વધારો થયો હોવા છતાં, સત્તાવાર આંકડા દર્શાવે છે કે કોવિડથી મંગળવારે માત્ર પાંચ અને સોમવારે માત્ર બે લોકોના મોત થયા હતા. ડબ્લ્યુએચઓ ઇમરજન્સી ચીફ ડૉ. રાયને કહ્યું કે ચીનના ICUમાં કેસની સંખ્યા પ્રમાણમાં ઓછી નોંધાઈ રહી છે, પરંતુ ICU રહસ્યમય રીતે ભરાઈ રહ્યા છે.

ચીને સચોટ આંકડા જાહેર કરવા જોઈએ: WHO

જિનીવામાં એક સાપ્તાહિક ન્યૂઝ કોન્ફરન્સ દરમિયાન બોલતા, WHOના વડા ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે કહ્યું કે તેઓ ‘ચીનમાં બદલાતી પરિસ્થિતિને લઈને ખૂબ જ ચિંતિત છે’. તેમણે રોગની ગંભીરતા, હોસ્પિટલમાં દાખલ થવા અને ICU કેસ અંગે સચોટ ડેટા જાહેર કરવાની અપીલ કરી હતી. ડો. રેયાને રસીકરણને કોરોના વાયરસના પ્રકોપથી બચવાની વ્યૂહરચના ગણાવી હતી. ચીને પોતાની રસી વિકસાવી છે અને તેનું ઉત્પાદન કર્યું છે. આ બાકીના વિશ્વમાં ઉપયોગમાં લેવાતી mRNA રસીઓ કરતાં ગંભીર COVID રોગ અને મૃત્યુ સામે રક્ષણ આપવામાં ઓછી અસરકારક સાબિત થઈ છે.

Share

Related posts

માંડવી પોલીસ દ્વારા મોટર સાઈકલોમાં સેફ્ટી ગાર્ડ નખાયા

gujaratjanekta

ગુજરતમાં કોંગ્રેસને લાગ્યું “આપ”નું ગ્રહણ : આપ ની એન્ટ્રી કોંગ્રેસને પડી ભારે

Admin

રીજીયન કોન્ફરન્સ અમૃત 2024 નું સફળ આયોજન

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial