Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા એન્ટી ઈન્કમ્બન્સીને લઈને ચોંકાવનારી વિગતો આવી સામે

સંકેત પંડ્યા – એડિટર

એક સર્વેમાં એન્ટી ઈન્કમ્બન્સીને લઈને ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. રાજ્યમાં કેટલા ટકા લોકો ભાજપથી નારાજ છે, કેટલા ટકા લોકો નારાજ નથી, કેટલા ટકા પરીવર્તન ઈચ્છે તેને લઈને કેટલીક વિગતો સામે આવી છે. આ વખતે ચૂંટણીમાં દરેકના મનમાં એક પ્રશ્ન છે કે શું ગુજરાતની જનતા ફરી એકવાર ભાજપ પર ભરોસો કરશે કે પછી આ વખતે તેમને એન્ટી ઈન્કમ્બન્સીનો સામનો કરવો પડશે?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની ચૂંટણી રસપ્રદ આ વખતે બની રહેશ કેમ કે, રાજ્યમાં 27 વર્ષથી સત્તા પર ભાજપ છે જેને એક જ પાર્ટીનો સામનો કરવો પડતો હવો હવે આપ પાર્ટી પણ મેદાને છે. કોંગ્રેસ પોતાનો વનવાસ સમાપ્ત કરીને પરત ફરવા માંગે છે. રાજ્ય જો કે આમ આદમી પાર્ટી અને AIMIM જેવી પાર્ટીઓએ પોતાના ઉમેદવારો ઉભા કરીને સ્પર્ધાને રસપ્રદ બનાવી છે. 

અલગ-અલગ ન્યૂઝ ચેનલોના સર્વેમાં અલગ-અલગ બાબતો સામે આવી છે. ઈન્ડિયા ટીવી-મેટરના સર્વેમાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે શું આ ચૂંટણીમાં ભાજપને સત્તાવિરોધીનો સામનો કરવો પડશે. જ્યાં કેટલાક તારણો સામે આવ્યા છે. 

પ્રશ્ન- શું ગુજરાતમાં એન્ટી ઈન્કમ્બન્સી છે?

નારાજ છે બદલાવ થશે – 34 ટકા
નારાજગી છે પણ ભાજપને વોટ – 48 ટકા
ભાજપથી ખુશ – 16 ટકા
કહી શકતા નથી – 2 ટકા

Share

Related posts

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વોર્ડ નં. 5 ના કોર્પોરેટરશ્રી તેજલબેન બી. વ્યાસ દ્વારા આધારકાર્ડ, e-KYC સહિતનો મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

gujaratjanekta

દાહોદ જિલ્લાના ખેડૂતો માટે કિસાન ગોષ્ઠી યોજાઇ : ૧૪૨૩ ખેડૂતોએ લીધો ભાગ

Admin

ઝાલોદ નગરમાં ડૉ બાબાસાહેબ આંબેડકર નિર્વાણ દિવસે શ્રદ્ધાંજલિ આપવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial