અગાઉ મધુ શ્રીવાસ્તવે ખુદ નહીં તેમના સ્થાને પત્નીને ટિકિટ લડાવવા માટે કહ્યું હતું અને મધુ શ્રીવાસ્તવ આ વાત બાદમાં તોળી ફેરવી હતી. જો કે, આખરે તેમને ટિકિટ વાઘોડીયા બેઠક પરથી આપવામાં નથી આવી. મધુ શ્રીવાસ્ત આખા બોલા અને સતત વિવાદમાં રહેતા ધારાસભ્ય છે ત્યારે બની શકે છે કે તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડી પણ શકે છે. જેના કારણે તેઓ મતો તોડી શકે છે.
વડોદરામાંથી રાજેન્દ્ર ત્રિવેદીનું પણ કપાયું છે પત્તુ
વડોદરાની 8 બેઠકો પરથી મધુ શ્રીવાસ્તવ, રાજેન્દ્ર ત્રિવેદીનું પત્તુ કપાયું છે. વડોદરાના સમગ્ર ચિતારને જોવા જઈએ તો કેટલીક સીટ પર નો રિપીટ અને કેટલીક બેઠક પર રીપિટેશન કરવામાં આવ્યું છે. તેમાં પણ મધુ શ્રીવાસ્તવ, રાજેન્દ્ર ત્રિવેદીનું પત્તુ કપાયું છે. અગાઉ મંત્રી પદમાંથી મહેસુલ ખાતુ રાજેન્દ્ર ત્રિવેદીનું લઈ લેવાયું હતું અને હવે આ વખતે ટિકિટ પણ નથી મળી. આ ઉપરાતં મધુ શ્રીવાસ્તવ કે જે વિવાદમાં રહેતા હતા તેમનું પણ પત્તુ કપાયું છે.

