સંકેત પંડ્યા – એડિટર
ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે આપણે ઘણી બધી વસ્તુ કરતા હોઈએ છીએ. વાસ્તુશાસ્ત્ર ઘણું જ પ્રાચીન છે. આમાં ઘણા એવા નિયમો બતાવવામાં આવ્યા છે. અમુક દિશામાં અમુક વસ્તુ મૂકવાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઈજા દૂર થાય છે. સાથે જ સકારાત્મક ઊર્જાનું આગમન થાય છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમે ઘરમાં અમુક ઉપાયો કરી શકો છો. આનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. જો તમને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવા માંગતા હોવ તો સાત ઘોડાનું ચિત્ર પોતાના ઘર અથવા ઓફિસમાં લગાવી શકો છો. આના માટે તમારે અમુક વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ.
સાત દોડતા ઘોડા નુ ચિત્ર પૂર્વ દિશામાં લગાવી શકાય છે. જો તમને કોઈક ઓફિસમાં લગાવવા માંગતા હોવ તો દક્ષિણ દિશામાં લગાવી શકો છો. સમુદ્ર કિનારે દોડતા ઘોડા નું આ પ્રકારનું ચિત્ર ગતિ અને હિંમતનું પ્રતીક હોય છે. જો તમે આ પ્રકારનું ચિત્ર ઘર અથવા ઓફિસમાં રાખો છો તો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે. તમે જીવનમાં પ્રગતિ કરો છો. આ સિવાય તમારી અંદર સકારાત્મક ઉર્જાનું આગમન થાય છે. ઓફિસમાં પણ તમારા બિઝનેસમાં વધારો થાય છે. આથી તમે પણ આ પ્રકારની ચિત્ર ઘર અથવા ઓફિસમાં ચોક્કસથી લગાવો.

