કિશોર ડબગર – દાહોદ
દેવગઢ બારીયા નગરમાં છેલ્લા બે વર્ષથી કોરોના કાળા દરમિયાન નવરાત્રિની ઉજવણી ધીમી થઈ હતી જેને લઇ નગરપાલિકા દ્વારા તમામ નવરાત્રી મંડળો અને નવરાત્રી યોજાઓના સ્થળો પર આજે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું આ સફાઈ અભિયાનમાં પ્રમુખ ડોક્ટર ચાર્મી નીલ સોની અને ટીમ દ્વારા આજરોજ જાતે સફાઈ કરવામાં આવી.

દેવગઢ બારીયા નગરપાલિકા દ્વારા
સફાઈ અભિયાન હાથ ધરાયું હતું જેમાં ઠાકોર વાડાના વિસ્તાર જય માતાજી ગરબા મંડળ સર્કલ બજાર સુથારવાડા અને સ્ટેશનરી ગરબાના સ્થળે નગરપાલિકા પ્રમુખ ડોક્ટર ચાર્મી નીલ સોની કારોબારી અધ્યક્ષ સર્જજન બા ગોહિલ તથા સેનેટરી ઇન્સ્પેક્ટર અનુરાજસિંહ ફુવાર અને બ્રિજેશભાઈ પટેલ સહિતનગરપાલિકાને સફાઈ ટીમ દ્વારા તમામ સ્થળો પર જાતે હાજર રહી પોતે જાડું પકડી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું નગરમાં બાકી રહેતા ગરબા સ્થળો પર પણ આગામી દિવસમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે.

