Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ રતનપુર(કાં) પ્રાથમિક શાળામાં યોજાયો – જાણો વધુ

ગોધરા તાલુકાના રતનપુર(કાં) ગામે 75 માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 1લી. ઓગસ્ટનાં આજરોજ યોજાયો હતો. જેમાં વિધ્યાર્થીઓએ ભારતમાતાની પ્રાર્થના પૂજન, આરતી અને વ્યાખ્યાન કર્યુ હતું. વિધ્યાર્થીઓ દ્વારા વેશભૂષામાં તૈયાર થઇ રતનપુરના વીર શહીદો તથા આર્મીના જવાનોનાં પરિવારના સભ્યોનું પુષ્પગુચ્છ આપી સમ્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન દેશની રક્ષા માટે સરહદ પર હંમેશા અડીખમ કલાકો સુધી ઉભા રહીને ફરજ બજાવતા ઈશ્વરભાઈ પરમાર, જીગરભાઈ ચૌહાણ, કિરીટભાઈ રાઉલજી, ઘમેંદ્રસિંહ રાઉલજીનાં માતા-પિતા હાજર રહ્યા હતા. વર્તમાન પેઢીને સ્વતંત્રતાની ચળવળ વિશે માર્ગદર્શન આપી વીર શહીદો, ક્રાંતિકારીઓ, સેનાનીઓ, ધાર્મિક, સામાજીક, આંદોલનના નેતાઓ માતૃ શકિતની રક્ષા કેવી રીતે થઈ શકે તે વિષયની માહિતી ગોકળભાઈ પરમારે આપી હતી. શાળા ના આચાર્ય ભરતભાઈ, સુનિલભાઈ, ગોકળભાઈએ સૌનો આભાર માન્યો હતો.

Share

Related posts

સવીપ અંતર્ગત લીમખેડા, દેવગઢ બારિયા અને ઝાલોદ તાલુકામાં દિવ્યાંગ મતદારો સાથે કાર્યક્રમ યોજાયા

gujaratjanekta

ઝાલોદ 112 ની સરાહનીય કામગીરી : ગુમ થયેલ યુવકને તેના પરિવારને સોપ્યો

gujaratjanekta

મહીસાગર જીલ્લાની કલેક્ટર કચેરીના પ્રાંગણમાં બન્યું અનેરું વન કવચ : સા.વ. લુણાવાડાના RFO જે.ટી મકવાણાની ઉત્કૃષ્ટ કામગીરી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial