તારીખ 25/11/2025 મંગળવાર ના રોજ લીમખેડા તાલુકા ના જાદા ખેરીયા ગામ ના પરમાર ફળિયા માં ગેસ સિલિન્ડર ફાટવાથી અનિચ્છનીય બનાવ બન્યો હતો એમાં આદિવાસી પટેલીયા સમાજ ના ત્રણ ઘરો સંપૂર્ણ રીતે સળગી જવા પામ્યા હતા અને ધન દાણા દુનિ બધું બળીને ખાખ થઈ ગયેલ હતું તેની જાણકારી થતા સમાજ ના યુવા વર્ગ અને વડીલો એ તાત્કાલિક સ્થળ ની મુલાકાત લીધી હતીમુલાકાત લઈ ને ખરેખર જોયું તો સમાજ લોકોની ની સ્થિતિ ખૂબ નબળી પડી ગયી હતી તેથી સમાજ ના તમામ વડીલો અને યુવાઓ એ નક્કી કર્યું કે સમાજ પાસે થી લોકફાળો કરી ને સમાજ ની મદદ કરવી પડશે
અને તમામ યુવા વડીલો એ પોતાની યથા શક્તિ મુજબ ફાળો આપ્યો છે જે આજે એમને આપવા માટે આવ્યા છે જેથી સમાજના લોકોની પરિસ્થિતિમાં સુધારો આવે અને અમે સમાજ ની એકતા અને અખંડતા નો પરિચય આપીએ છીએ ભવિષ્ય માં પણ સમાજ પર આવી કોઈ ઘટના ક્યાંક થશે તો પટેલીયા સમાજ એમની જોડે પડખે ઊભો રહી ને આવી રીતે મદદ કરતો રહેશે ..તેમજ હું સમાજ વતી તમામ યુવા વડીલોનો આભાર વ્યક્ત કરું છું જેમણે ફાળો આપી સમાજના લોકોના પડખે ઊભા રહ્યા

