Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

લીમડી થી ઝાલોદ તરફ જતા માર્ગ ઉપર ટાંડી વળાંકમાં ગટર નહિ હોવાથી પાણી રોડ ઉપર ભરાઈ જવા તેમજ રોગચાળો તથા ગંભીર અકસ્માતો થવા બાબતે ગ્રામપંચાયત સભ્યએ લોકોને સાથે લઈ ગ્રામપંચાયતમાં રજૂઆત કરી

પંકજ પંડિત

લીમડી ગામ થી ઝાલોદ તરફ જતા માર્ગમાં ટાંડી વાળા વળાંકમાં આગળથી આવતું ગંદુ પાણી પુષ્કળ પ્રમાણમાં વર્ષોથી ભેગું થાય છે તેના કારણે આવા પાણીમાં રોગજન્ય મચ્છરોનો ઉપદ્રવ થાય છે અને અહી આજુબાજુમાં વસવાટ કરતા લોકો તેમજ ધંધો કરતા ધંધાદારીઓમાં રોગ ફાટી નીકળવાની સંભાવનાઓ તેમજ અહીં ધંધો કરતા તથા રહેતા તેમજ પગે ચાલીને જતા રાહદારીઓ, મોટરસાઈકલ, કાર અને નાના મોટા તમામ પ્રકારના વાહન ચાલકો જે અહીંથી પસાર થાય છે તે તમામને ખુબ જ મુશ્કેલી પડી રહી છે જેના લીધે રસ્તો પસાર કરવામાં તકલીફ ઉભી થાય છે.અગાઉ અહી ગંભીર પ્રકારના અકસ્માતો થયેલ છે જેના કારણે મોટરસાઈકલ ચાલકો નું મોત પણ નીપજેલ છે અને હાલ દરરોજ કોઈક ને કોઈક મોટરસાઈકલ ચાલક ની મોટરસાઈકલ પણ સ્લીપ ખાય છે અને ગંભીર તેમજ સામાન્ય ઈજાઓ પણ થાય છે અને ઘણી વાર રોડ ઉપર રહેલા પાણીને ટાળવા જતા મોટરસાઈકલ ચાલકો કાર તેમજ મોટા વાહનોમાં ભરાઈ જાય તેવી પરિસ્થિતિઓ પણ સર્જાય છે.આ બાબતની રજૂઆત લીમડી ગ્રામપંચાયત ના સભ્ય શિરિષ બામણીયા દ્વારા અવાર નવાર વારંવાર રજૂઆતો કરવામાં આવેલ છે અને બીજી સામાન્ય સભામાં તેમજ ૧૫ ઓગષ્ટની ગ્રામસભામાં પણ રજૂઆત કરવામાં આવેલ છે.તેથી લીમડી ગ્રામ પંચાયતના સભ્ય શિરિષ બામણીયા દ્વારા ખાસકિસ્સામાં વિનંતી કરવામાં આવી છે કે, આ બાબતને ગંભીરતાથી લઇ તાત્કાલિક ધોરણે ગટર બનાવવાનું કામ ચાલુ કરી માર્ગ ઉપર ભેગું થયેલ પાણીનો નિકાલ કરવામાં આવે અને જો આ સમસ્યાનો નિકાલ કરવામાં નહિ આવે તો જાહેર હિતને ધ્યાનમાં લઇ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન/ધરણા પ્રદર્શન કરવા મજબુર થઈશું તેવી ચીમકી લીમડી ગ્રામપંચાયતના સભ્ય શિરિષ બામણીયા એ ઉચ્ચારી છે.

Share

Related posts

અખીલ ભરતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ નેતા શ્રી રાહુલ ગાંધીના ઉપસ્થિતિમાં દાહોદ ખાતે 01.મેં 2022ના રોજ યોજાનાર ગુજરાત સ્થાપના દિવસના આદિવાસી જન ચેતના યાત્રા નો કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શહેરા તાલુકા શહેરમાં મિટિંગ યોજાઈ

gujaratjanekta

ફતેપુરા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખે ઉમેદવારો સહિત સમર્થકોની ભારે ભીડ જામી

gujaratjanekta

બાલાસિનોર ના રૈયોલી ખાતે “સ્વચ્છતા હી સેવા’’ અભિયાન કાર્યક્રમ અંતર્ગત ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ દ્વારા યોજવામાં આવ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial