પંકજ પંડિત
ઝાલોદ તાલુકાના લીમડી અને ઝાલોદ મુકામે 13-08-2025 ના રોજ તિરંગા યાત્રા ધારાસભ્ય મહેશ ભૂરીયાની આગેવાની હેઠળ યોજાનાર છે તે અંતર્ગત પ્રાંત અધિકારી અરવિંદ ભાટીયા દ્વારા આયોજનની પૂર્વ તૈયારીની રૂપરેખા અંતર્ગત 12-08-2025 ના રોજ સવારે 11 કલાકે યોજાઈ હતી. આવનાર 15 ઑગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ છે. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્ર ધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન હર ઘર તિરંગા અંતર્ગત લીમડીમા સવારે 9:30 કન્યાશાળા થી સાઈ મંદિર સુધી તેમજ ઝાલોદ નગરમાં ઝાલા રાજા વસૈયા ચોક થી એ.પી.એમ.સી સુધી યોજાનાર છે. આ તિરંગા યાત્રાના રૂટ તેમજ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે અંતર્ગત ઝાલોદ તાલુકા વહીવટી તંત્રની સંકલન મીટિંગ પ્રાંત કચેરી ખાતે યોજાઈ હતી.આ સંકલન મીટીંગમાં સ્કૂલના આચાર્યો પણ ઉપસ્થિત રહેલ હતા.

