Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદના શ્રીમતિ રેખાબેન પારગીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતેથી પી.એચ.ડી. (Ph.D.)ની પદવી મેળવી

 

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડીના વતની શ્રીમતિ રેખાબેન નરસીંગભાઈ પારગી એ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે પી.એચ.ડી. (Ph.D.) પદવી માટે “વિનયન” વિદ્યાશાખામાં મનોવિજ્ઞાન વિષય હેઠળ મહાશોધનિબંધ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. તેમનો સંશોધન વિષય હતો: “કોરોનાનો ભોગ બનેલા દર્દીઓના માનસિક સ્વાસ્થ્યનો અભ્યાસ” આ સંશોધનમાં રેખાબેન પારગીએ કોરોનાની મહામારીથી પ્રભાવિત થયેલા દર્દીઓના માનસિક સ્વાસ્થ્ય પર પડેલા અસરોનો સંવેદનશીલ અભ્યાસ કર્યો છે. સંશોધન દ્વારા તેમણે દર્દીઓમાં અનુભવાતા તાણ, ભય, એકાંત અને અસુરક્ષિતતાના કારણો તેમજ તેના આધારે માનસિક સ્વાસ્થ્યમાં થતાં પરિવર્તનોનું વિશ્લેષણાત્મક નિરીક્ષણ રજૂ કર્યું છે. હાલમાં તેઓ દાહોદ જિલ્લામાં હેલ્થ ડિપાર્ટમેન્ટમાં સિક્લ સેલ કાઉન્સેલર તરીકે ફરજ બજાવે છે.આ સંશોધનકાર્ય ડૉ. ગંગાબેન ડી. પટેલ, એસોસિયેટ પ્રોફેસર, જે.પી. પારડીવાલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, કિલ્લા પારડી, તેમના માર્ગદર્શન હેઠળ પૂર્ણ થયું છે. શ્રીમતિ રેખાબેન પારગી અને માર્ગદર્શિકા ડૉ. ગંગાબેન પટેલને સંશોધન ક્ષેત્રે આ ઉત્કૃષ્ટ સિદ્ધિ માટે હાર્દિક અભિનંદન તથા શુભકામનાઓ પાઠવવામાં આવે છે.

Share

Related posts

પંચમહાલ જિલ્લાના ખેડૂતો સરકારશ્રીની વિવિધ યોજનાઓનો વધુમાં વધુ લાભ લે તે માટે અનુરોધ કરતા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એમ.જી.પટેલ

gujaratjanekta

ઝાલોદ નગરપાલિકા દ્વારા એક પેડ માં કે નામ “વુમન ફોર ટ્રી” થીમ અંતર્ગત વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

40 મિનિટમાં ત્રણ વખત સ્થગિત થઈ રાજ્યસભા, ગૃહમાં ગુંજ્યો બિહારમાં ઝેરી દારૂથી મોતનો મુદ્દો

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial