પંકજ પંડિત
ઝાલોદ પોલીસના ડી.વાય.એસ.પી ડી.આર.પટેલના માર્ગદર્શન હેઠળ પી.આઈ ગૌરવ ગામીત, પી.એસ.આઈ સી.કે.સીસોદીયા, પી.એસ.આઈ આર.વી.રાઠોડ તેમજ આઈ.ટી કર્મચારી જાબીર ભાભોર દ્વારા બે વ્યક્તિઓના ખોવાઈ ગયેલ મોબાઇલ તેઓના મૂળ માલિકને પરત કર્યા હતા. ગુજરાત પોલિસના પ્રોજેક્ટ તેરા તુજકો અર્પણ આજરોજ 31-07-2025 ના સાંજના 5:30 કલાકે ઝાલોદ પોલિસ સ્ટેશનમા ખોવાઈ ગયેલ તેઓના મૂળ માલિકને ખાતરી કર્યા બાદ પરત કરેલ હતાઝાલોદ તાલુકાના સાંપોઈ મુકામે ધર્મેશ જયંતિ ગારીનો મોબાઇલ એક અકસ્માતમા 06-07-2025 ના રોજ પડી ગયેલ હતો તેમજ એક બીજી વ્યક્તિ સુશિલા દિનેશ ચારેલ જે લખનપુરના છે અને તેઓ ઝાલોદ મુકામે શાકભાજી વેચવા આવતા હોય છે ત્યારે તેઓનો 01-06-2025 ના રોજ મોબાઇલ ખોવાઈ ગયેલ હતો. ઉપરોક્ત બંને વ્યક્તિઓને પોતાનો મોબાઈલ પરત મળતા તેઓ રાજી જોવાતા હતા તેમજ વાતચીત દરમિયાન તેઓએ પોલિસ કામગીરીની ભારોભાર પ્રશંસા કરેલ હતી.

