પંકજ પંડિત
1મે ગુજરાત સ્થાપના દિન નિમિતે ગુજરાતભર માં આમ આદમી પાર્ટી દ્વારા પ્રતિક ઉપવાસ નું આયોજન કરેલ હતું જેમાં ઝાલોદ વિધાનસભા માંથી આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ગુજરાતની જનતાની સુખાકારી અને સમૃદ્ધિ માટે ભજનકીર્તન અને ઉપવાસ માટે ભેગા મળીને ઝાલોદના બ્લેન્ડિયા ખાતે એકઠા થઈ તેમજ ભાજપનુ સરકાર છેલ્લા 30 વર્ષથી ગુજરાત અને કેન્દ્રમાં શાસન હોવા છતાં આમ ગુજરાતની ભોળી પ્રજાને ન્યાય આપવામાં ખરી નીવડી નથી . ગુજરાત ખૂબ મોટા પાયે તેમના મળતિયા દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે.તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં વિલંબ શા માટે.?
બૂટલેગરો ,ડ્રગમાફિયાઓ , બળત્કારીઓ અને માથાભારે તત્વો આ શાસનમા ખુલ્લે આમ ફરે છે.નકલી કચેરીઓ ,સ્પર્ધાતમક પરીક્ષાઓમાં પેપરો ફૂટવા સહિત કાયદાકીય દાખલો ઉભો કરવામા પણ નિષ્ફળ નીવડી છે.ખેડૂતોને યોગ્ય ટેકાના ભાવ મળવાપાત્ર નથી .આવા ગુનાખોરોને આ શાસનમા છુટછાટ મળેલ હોય તેમ ભગવાન આ શાસકોને સદબુદ્ધિ આપે એ માટે પ્રતિક ઉપવાસનું આયોજન કરાયુ હોવાની ઝાલોદ પાર્ટી પ્રમુખનુ કેહવુ હતુ………

