પંકજ પંડિત
ભારતીય જનતા પાર્ટી દાહોદ જિલ્લા પ્રમુખ દ્વારા દાહોદ શહેર મંડળ ની રચના કરવામાં આવી .દાહોદ શહેર મંડળની રચનામાં દાહોદ બ્રહ્મ સમાજના યુવા આગેવાન એવા વિશાલભાઈ રાજેન્દ્રકુમાર પારીખ તથા અભિષેક ભાઈ નરેન્દ્રકુમાર શાસ્ત્રીની ભાજપ શહેર મંડળમાં મંત્રી તરીકે નિમણૂક થતા વિપ્ર ફાઉંડેશન ઝાલોદ દ્વારા શુભ કામના આપવામાં આવી હતી.વિશાલભાઈ પારીખ પોતે દરેક સામાજિક ધાર્મિક કાર્યોમાં પોતાનો યોગદાન આપતા હોય છે તેમજ સમાજના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે અને હવે સામાજિક ધાર્મિકની સાથે રાજકીય રીતે પણ સમાજ સેવા કરવાનો અવસર પ્રાપ્ત કરી બ્રહ્મ સમાજ ગૌરવાન્વિતની લાગણી અનુભવે છેબ્રહ્મ સમાજના બે યુવાનની ભાજપ શહેર મંડળમાં નિમણૂક થતા સમગ્ર બ્રહ્મ સમાજમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી. વિપ્ર ફાઉંડેશન ઝાલોદ દ્વારા બંને ભાજપ હોદ્દેદારને શુભ કામના પાઠવી હતી તથા દાહોદ બીજેપી પ્રમુખનો આભાર માન્યો હતો.

