Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર ચેરમેન યોગસેવક શીશપાલજી નાઓના માર્ગદર્શન હેઠળ સરકારી આઈ. ટી. આઈ જેસાવાડા તા.ગરબાડા ખાતે યોગ સંવાદનુ આયોજન કરવામાં આવ્યું હતું.

મુખ્ય વક્તા પિન્કીબેન મેકવાન નાઓ દ્વારા યોગ બોર્ડ ના માળખા વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી તેમજ યોગ કરવાથી થતા ફાયદાઓ વિશે માહિતી આપી અને યોગ ટ્રેનર બનવા માટે તાલીમાર્થીઓને આહવાન કરવામાં આવ્યું.ઝોન સોશ્યિલ મીડિયા કોર્ડિંનેટર સોનલબેન દરજીનાઓ દ્વારા યોગ બોર્ડ સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર વિવિધ કાર્યક્રમ, સ્વાસ્થ્ય માટેના વિડિઓ, લોક જાગૃતિ વિગેરે વિશે માહિતી આપવામાં આવી.આ કાર્યક્રમ માં જિલ્લા કોર્ડિંનેટર ધુળાભાઈ પારગી દ્વારા યોગ સાથે જોડાવાથી થતા ફાયદાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ યોગ ટ્રેનર બનવાથી વ્યક્તિત્વ વિકાસની માહિતી આપી.આ કાર્યક્રમના આયોજનમાં સરકારી આઈ. ટી. આઈ જેસાવાડા ખાતે ફરજ બજાવતા સંપૂર્ણ સ્ટાફ નો પૂરો સહયોગ રહ્યો તેમજ તમામ ઇન્સ્ટ્રક્ટર તેમજ લીમખેડા તાલુકા યોગ કોચ લાલાભાઇ સંગાડા, ગરબાડા તાલુકા યોગ કોચ રાહુલકુમાર એલ પરમાર તેમજ મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ હાજર રહ્યા હતા.

Share

Related posts

ફતેપુરા તાલુકામાંથી વિભાજન થઇ સુખસર તાલુકામાં સમાવેશ કરાયેલ બલૈયા ગામના નાગરિકો દ્વારા આવેદનપત્ર અપાયુ

gujaratjanekta

ઝાલોદ નગરપાલિકા દ્વારા ઢોલ નગારા સાથે વેરો ન ભરનાર વ્યાપારીઓની દુકાન શીલ કરી

gujaratjanekta

માર્ગ અને મકાન વિભાગ દાહોદ પંચાયત દ્વારા ફતેપુરા તાલુકામાં કરોડિયા પૂર્વથી લેલાવાના રોડ પર અને ઘુઘસ રોડ પર પેચવર્કની કામગીરી કરવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial