દીપક અમલીયાર
તા.૧૮-૧૧-૨૦૨૪ ના રોજ વડોદરા ના હિન્દુ નવયુવાન તપનભાઈ પરમાર ની બાબર પઠાણ નામના વિધર્મી દ્વારા પોલીસ ની હાજરીમાં ઘાતકી ક્રૂર હત્યા કરવામાં આવી તે બાબતે દાહોદ કલેકટર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું. આ વિધર્મી બાબર પઠાણે ઘણા ગંભીર ગુનાઓ આચરેલ છે અને પોલીસની હાજરીમાં જ હિન્દુ યુવાન ની ઘાતકી હત્યા કરવામાં આવી. હાલના સમયમાં રોજેરોજ વિધર્મી ઓ દ્વારા આવા ઘાતકી કૃત્યો કરવામાં આવે છે. જેનો દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવાર ખુબજ કડક શબ્દોમાં વખોડે છે અને આવા વિધર્મી ઓને તાત્કાલીક કડકમાં કડક સજા કરવામાં આવે એવી સરકારશ્રી પાસે માંગણી કરવામાં આવે છે.

