દાહોદ : “સ્વભાવ-સ્વચ્છતા, સંસ્કાર-સ્વચ્છતા” ના ધ્યેય સાથે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્ય સહિત જિલ્લામાં સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ છે. જેના ભાગરૂપે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકા તેમજ ધાનપુર તાલુકામાં સ્વચ્છ ભારત મિશન (ગ્રા) યોજના અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દાહોદ, સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તાલુકા કક્ષાના ટ્રેનરોની તાલીમ યોજાઇ હતી. જે દરમ્યાન SIRD ના યોગેશભાઈ દવે અને બશીરભાઈ નોઈડા દ્વારા તાલીમ નિમિતે સ્વચ્છતા અંગે સમજાવીને સ્વચ્છતાનો સંદેશ આપીને શપથ લેવામા આવ્યા હતા. આ નિમિતે તાલુકા વિકાસ અધિકારીશ્રી, સરપંચશ્રી, તલાટી કમ મંત્રી અને તાલુકાના SBM સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

