Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

હર ઘર તિરંગા અભિયાન ૨૦૨૪ દાહોદ જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન લઈને ભારે ઉત્સાહ

દાહોદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં ૮મી થી ૧૫મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે. જે અંતર્ગત ગુજરાતમાં પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં આ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજનો કરવામાં આવ્યા છે.જે અન્વયે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત સંસ્કાર એડવેન્ચર ગ્રૂપ દ્વારા બાળકોને રાષ્ટ્ર ધ્વજ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.જે અન્વયે દાહોદ જિલ્લામાં પણ હર ઘર તિરંગા અભિયાનને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.હર ઘર તિરંગા યાત્રામાં જોડાઈ રાષ્ટ્રના અનેરા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે યુવા વિકાસ અધિકારી શ્રી જે.સી.ડાભી, તજજ્ઞ શ્રી એલ.એ.શર્મા,શ્રી ઘનશ્યામસિંહ સોલંકી,શ્રી મનીષભાઈ જૈન ,સહિત બાળકો ઉપસ્થિત રહ્યા હતા

Share

Related posts

લાયન્સ ક્લબ ઓફ દાહોદ સિટીને ઉત્કૃષ્ટ કામગીરી માટે એમિનેન્સ એવોર્ડ આપવામાં આવ્યો

gujaratjanekta

એસ.એસ.જી. હોસ્પિટલમાં નવજાતની જીવનરક્ષક સર્જરી : તબીબોએ નવજાત શિશુને આપ્યું નવજીવન

gujaratjanekta

ફતેપુરા તાલુકા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ગાયત્રી પ્રજ્ઞાપીઠ લીંબડીયા ફતેપુરા દ્વારા 24 કુંડીયા શક્તિ સર્વધન ગાયત્રી મહાયજ્ઞને ચાલતી તડામાર તૈયારીઓ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial