Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની પૂર્વ તૈયારી રૂપે હિન્દુ સનાતન સમિતિની બેઠક સોમનાથ મહાદેવ મંદિરે યોજાઈ

તારીખ 07-07-2024 રવિવારના રોજ ભગવાન જગન્નાથની સાતમી રથયાત્રા નગરમાં નીકળનાર છે. રથયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે સનાતન હિન્દુ સમિતિ દ્વારા એક બેઠક સોમનાથ મહાદેવ મંદિરે યોજવામાં આવી હતી. આ મીટિંગમાં આસરે 200 થી વધુ લોકોએ હાજર રહી રથયાત્રા સમિતિનો જુસ્સો વધાર્યો હતો. બેઠક ચાલુ થતા પૂર્વે હનુમાન ચાલીસા કરી બેઠક ચાલુ કરવામાં આવી હતી. આ મીટિંગમાં નગરમાં નીકળનાર રથયાત્રાની વિવિધ કામગીરી પર ચર્ચા વિચારણા કરી તેની જવાબદારી અલગ અલગ સમિતિને સોંપવામાં આવી હતી. મીટિંગમાં આવનાર સનાતન હિન્દુ ધર્મ સમિતિનો એક જ નારો સર્વાનુમતે જોવા મળ્યો હતો જગતના તાત એવા જગન્નાથ ભગવાનની રથયાત્રા ધામધૂમથી ભક્તિભાવ વાળા વાતાવરણમાં નીકળે અને તેમાં નગરના દરેક સમાજના લોકો મોટા પ્રમાણમાં જોડાય તે માટે ઉપસ્થિત સહુ લોકોને હાકલ કરવામા આવી હતી.

Share

Related posts

“માંડવી શહેર અને તાલુકા પ્રમુખ એ કાઠડાની સરકારે કાર્ગો માટે ફાળવેલી ગૌચર જમીન બાબતે સરકાર અને સત્તાધારી પક્ષ સામે વિવિધ આક્ષેપો કર્યા”

gujaratjanekta

ઝાલોદ તાલુકાનો માછણ નાળા ડેમ છલકાયો 277.64 મીટર સપાટી સાથે ઓવરફલો નીચાણવાળા સાત ગામો ને એલર્ટ કરાયા હતા

gujaratjanekta

અખીલ ભરતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ નેતા શ્રી રાહુલ ગાંધીના ઉપસ્થિતિમાં દાહોદ ખાતે 01.મેં 2022ના રોજ યોજાનાર ગુજરાત સ્થાપના દિવસના આદિવાસી જન ચેતના યાત્રા નો કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શહેરા તાલુકા શહેરમાં મિટિંગ યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial