સંકેત પંડ્યા
આજ રોજ 77 માં સ્વતંત્રતા દિનની ઉજવણી નિમિત્તે ત્રિરંગો લહેરાવી સમગ્ર દેશ આઝાદીનું જશ્ન મનાવી રહ્યું છે ત્યારે સામાજિક વનીકરણ વિભાગ દાહોદની કચેરી ખાતે સામાજિક વનીકરણ વિભાગની કચેરીના ઈન્ચાર્જ કચેરી અધિક્ષક શ્રી બી.એન. માળી ના વરદ હસ્તે ધ્વજ વંદન વિધિ કરવામાં આવી હતી.

આ પ્રસંગે શ્રીમતી જી.ડી.પટેલ, પ.વ.અ. શ્રી ગરબાડા, વિભાગીય કચેરી અને દાહોદ રેંજ કચેરીનો સ્ટાફ, ફોરેસ્ટ કોલોનીનો સૌ પરિવારજનો જોડાયા હતા. હાજર સૌ નાગરિકોએ ત્રિરંગાને સલામી આપી આપના દેશના વિરોને યાદ કરી શ્રધ્ધાંજલી આપી હતી. તેમજ સૌએ મો મીઠું કરી સ્વતંત્રતા દિનની શુભેચ્છાઓ પાઠવી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી હતી.

