Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

કોણ છે AIMIM હું નથી જાણતો, કોંગ્રેસ ઉમેદવાર અસલમ સાયકલવાલા

સંકેત પંડ્યા – એડિટર

કોંગ્રેસના સુરત પૂર્વના ઉમેદવારને જ્યારે પૂછવામાં આવ્યું કે AIMIM સુરત પૂર્વની બેઠક ઉપર તમારા વોટ તોડશે ત્યારે કોંગ્રેસના સુરત પૂર્વના ઉમેદવાર અસલમ સાયકલવાલા દ્વારા કહેવામાં આવ્યું કે “કોણ છે AIMIM હું આવી કોઈ પાર્ટીને ઓળખાતો નથી” જેવો જવાબ આપતા એક વાત અહીં કહી શકાય કે સુરત પૂર્વમાં AIMIM પાર્ટીના ઉમેદવાર વસીમ કુરેશી જે રેસમાં સૌથી પાછળ દેખાતા પણ ના હોય તે છતાએ કોંગ્રેસના મજબૂત ઉમેદવાર અસ્લામભાઈ સાયકલવાલાને ટક્કર આપવાની વાતો કરી રહ્યા છે……

જ્યાં બીજી બાજુ AIMIM ના ઉમેદવારના પોપટો કહેતા ફરી રહ્યાં છે કે અમે બહુમતી સાથે જીતવાના છે ? BJP ની B ટિમ તરીકે પણ જાણીતી AIMIM પાર્ટીનું સુરતમાં કોઈ ભવિષ્ય દેખાતું નથી તે અહીં સ્પષ્ટપણે કહી શકાય કારણકે ગણતરીના લોકો જેને ઓળખતા હોય તે પાર્ટી અને તેનો ઉમેદવાર માત્ર તેના કાર્યકર્તાઓમાં દેખાતો હોય અને જનતા જેને જાણતી ના હોય તેને મત આપી કોણ વિજેતા બનાવશે તે એક મોટો સવાલ છે ?

મહત્વનું છે મેં પ્રચારમાં પણ અસલમ સાયકલવાલા દ્વારા જોર શોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યું છે અને મહત્વની વાત તો એ છે કે કોંગ્રેસના ઉમેદવાર અસ્લમભાઈને મુસ્લિમ નહીં પરંતુ હિન્દૂ મતદારો પણ પસંદ કરી રહ્યાં છે……

જ્યાં વસીમ કુરેશીને કોઈ પણ સુરત પૂર્વમાં જાણે ઓળખતું નથી એવું પણ લોકોના મત પ્રમાણે લાગી રહ્યું છે અને જે પ્રમાણે વસીમ કુરેશી ચૂંટણી લડવાની તૈયારી કરી બેઠા છે પરંતુ સુરત પૂર્વની જનતા પણ ઓળખતી નથી તો આવા ઉમેદવાર ને મત આપી માત્ર પોતાના મતનો બગાડ કરવું હોય તો આવા નેતાની પાસે જવાય એવી લોક ચર્ચા ચાલી રહી છે

Share

Related posts

પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ ઝાલોદ નગર ભાજપ પરિવારના લોકો દ્વારા ચંદ્રયાન-3 નું સફળ લેન્ડિંગ થતાં રાષ્ટ્રધ્વજ સાથે આતસબાજી કરી મીઠાઈ વહેંચી ખુશી વ્યક્ત કરવામાં આવી બાલ હનુમાનજી મંદિરે નગરના લોકો દ્વારા હનુમાનચાલીશાના પાઠ પણ કરવામાં આવ્યા હતા ચંદ્રયાન-3 ના સફળ લેન્ડિંગ સાથે ભારતે સફળ સિદ્ધિ હાંસલ કરી હતી. સફળ લેન્ડિંગ લાઇવ નિહાળવાનો અનેરો અવસર થકી ઇતિહાસના સાક્ષી સહુ ભારતવાસી બન્યા હતા. જેમ જેમ ચંદ્રયાન-3 ના લેન્ડીંગનો સમય નજીક આવતો હતો તેમ તેમ સમગ્ર ભારતવાસીઓના ધબકારા વધતા જતા હતા. ચંદ્રયાન-3 ના સફળ લેન્ડિંગને સમગ્ર ઝાલોદ નગરના લોકોએ પણ લાઇવ નિહાળ્યું હતું. જેવું ચંદ્રયાન-3 લેન્ડ થયું તેમ સહુ નગરના લોકો ટીવીની સામે નાચી ઝૂમી ઉઠયા હતા. આ સફળતા થી દરેક ભારતીયની છાતી ગર્વ થી ફૂલી ગઈ હતી. ચંદ્રયાન-3 ની સફળતા માટે નગરના લોકો દ્વારા બાલ હનુમાનજી મંદિર ખાતે હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવેલ હતા. ચંદ્રયાન-3 સફળ લેન્ડિંગ થતાંની સાથે ભાજપ પરિવારના સહુ સભ્યોનો ઉત્સાહ સાતમા આસમાને જોવા મળતો હતો. ભાજપ પારિવાના સહુ સભ્યો દ્વારા રાષ્ટ્રધ્વજને હાથમાં લહેરાવી વડબજારમાં ભવ્ય આતસબાજી સાથે ભારતમાતાકી જય સાથે વાતાવરણને ગજવી દીધેલ હતું. ઉપસ્થિત સહુ લોકો દ્વારા આ ભવ્ય સફળતાની ઉજવણી એક બીજાને મીઠાઈ ખવડાવી કરેલ હતી. તેમજ ભાજપ પરિવાર દ્વારા ઇસરોના તમામ વૈજ્ઞાનિકોને દેશને ગર્વ અપાવવા બદલ અભિનંદન આપ્યા હતા. આ ખુશી નગરના દરેક સોશિયલ મીડિયાના ગ્રુપમાં ફરતી થઈ ગઈ હતી અને સમગ્ર નગરના લોકો સોશિયલ મીડિયા દ્વારા એક બીજાને તેમજ ભારતના વૈજ્ઞાનિકોને અભિનંદન આપતા જોવા મળતા હતા

gujaratjanekta

દેલસર પ્રાથમિક શાળામાં મહેંદી સ્પર્ધા દ્વારા મતદાન જાગૃતિની પ્રવૃત્તિ કરવામાં આવી

gujaratjanekta

“નેશનલ સ્પોર્ટસ ડે” નિમિત્તે રમતજગતના કેટલાક મહત્વના યાદગાર પ્રસંગોથી અવગત કરાવતા સ્પોર્ટસ જર્નાલિસ્ટ પ્રદિપ ત્રિવેદી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial