Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગોધરા ખાતે આગામી દિવસોમાં અષાઢી બીજ નિમિતે રથયાત્રા નીકળનાર હોય જે અન્વયે ફ્લેગ માર્ગ યોજાયો

અબ્દુલ્લાહ પંજાબી:-સબ એડિટર


પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી નાઓ ની આગેવાનીમા આગામી દિવસોમાં અષાઢી બીજ નિમિત્તે ગોધરા શહેરમા રથયાત્રા નીકળનાર હોય જે અન્વયે કાયદો અને વ્યવસ્થાની જારવણીરૂપે ગોધરા શહેર ના એ ડીવીઝન પોલીસ સ્ટેશન તથા બી.ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે જે રસ્તેથી રથયાત્રા નીકળનાર હોય તે સમગ્ર વિસ્તાર મા ફ્લેગમાર્ચ કરવામાં આવ્યો હતો.આ ફ્લેગમાર્ચ દરમીયાન પોઈન્ટોનુ નિરક્ષણ કરવામાં આવેલ તેમજ અધિકારીઓ તેમજ કર્મચારીઓને રથયાત્રા બંદોબસ્ત દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે જરૂરી સુચનાઓ આપેલ જેમાં નાયબ પોલીસ અધિક્ષક સી.સી.ખટાણા ગોધરા વિભાગ નાયબ પોલીસ અધિક્ષક હિમાલા જોષી મુખ્ય મથક ગોધરા તથા પોલીસ ઈન્સ.જે.એન પરમાર એલ.સી.બી પંચમહાલ ગોધરા તથા પોલીસ ઈન્સ.એમ.કે ખાંટ એસ.ઓ.જી શાખા પંચમહાલ ગોધરા તથા પોલીસ.ઈન્સ.એન.આર.ચૌધરી તથા પોલીસ ઈન્સ.પી.કે અસોડા તથા અન્ય પોલીસ અધિકારીઓ-૧૫ તથા પોલીસ કર્મચારીઓ ૧૩૦ જેટલા ફ્લેગમાર્ચ મા હાજર રહ્યા હતા.ફ્લેગમાર્ચ મા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી નાઓને સ્થાનિક પોલીસ અધિકારીઓ દ્વારા સંવેદનશીલ વિસ્તારો અંગે વાકેફ કરવામાં આવ્યા હતા.તેમજ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી નાઓ દ્વારા રણછોડજી મંદિર ની મુલાકાત લેવામાં આવી હતી અને રણછોડજી મંદિર ના ટ્રસ્ટી તેમજ મુસ્લિમ ધર્મગુરુઓ તહેવાર શાંતિપૂર્વક પુર્ણ થાય તે માટે પણ મિટિંગ નુ આયોજન કરવામા આવેલ હતું.

Share

Related posts

ફતેપુરાની વાત્સલ્ય સ્કૂલ ઓફ નોલેજના વિદ્યાર્થીને શિક્ષક દ્વારા શારીરિક ઇજા કરાતાં શિક્ષકને તાત્કાલિક છૂટો કરાયો

gujaratjanekta

ઝાલોદ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા વિશાળ શાંતિ પદયાત્રા યોજવામાં આવી

gujaratjanekta

ગુર્જર ભારતી દાહોદ અનુસૂચિત જાતિ વિકાસ પરિષદ દાહોદના પ્રમુખ તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારાકાર્યક્ર્મનુ આયોજન કરવામાં આવ્યુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial