સોલંકી કિશોરસિંહ,
ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત દાહોદ જિલ્લાને કુલ ૬ બસોની ફાળવણીભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત દાહોદ જિલ્લાને કુલ ૬ બસોની ફાળવણી કરવામાં આવી છે.સાંસદ સભ્યશ્રી જશવંતસિંહ ભાભોર દ્વારા ૬ બસોને ફલેગ ઓફ કરીને શરૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે દાહોદ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી, પ્રાયોજના વહીવટદારશ્રી પ્રતીક જૈન (I.A.S.), દાહોદ ચીફ ઓફિસરશ્રી દીપસિંહ હઠીલા તેમજ ગોધરા S.T. ડિવિઝનના D.C. યોગેશ પટેલ હાજર રહ્યા હતા.સરકારશ્રીનીના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ફાળવવામાં આવેલી આ બસોમાં અંતરિયાળ વિસ્તારમાં રહેતા અને સરકારી શાળાઓ ખાતે અભ્યાસ કરતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ પાસ મેળવી મફતમાં અપડાઉન કરી શકશે.આ થકી જિલ્લાની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરીમાં નોંધપાત્ર વધારો થશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પ્રથમ તબક્કામાં પણ દાહોદ જિલ્લાને કુલ ૧૭ જેટલી બસોની ફાળવણી કરવામાં આવી હતી.

