સોલંકી કિશોરસિંહ,
રામનવમીના દિવસે દાહોદમાં રામ ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી,રામનવમી એ હિંદુ ધર્મમાં એક પવિત્ર તહેવાર છે, જે ભગવાન રામના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ તહેવાર ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિ પર આવે છે, રામ નવમીના દિવસે, ભગવાન રામના જન્મ અને તેમના જીવનના વિવિધ પ્રસંગોને યાદ કરવામાં આવે છે. આ તહેવારને ભગવાન રામના ભક્તો દ્વારા ખૂબ જ ઉત્સાહ અને ઉજાસથી ઉજવવામાં આવે છે.રામ નવમીના દિવસે, ભગવાન રામના મંદિરોમાં વિશેષ પૂજા અને અર્ચના કરવામાં આવે છે. ભક્તો ભગવાન રામની પૂજા કરે છે.રામનવમીના દિવસે દાહોદમાં રામયાત્રામાં વિવિધ પ્રકારના ઝાંકીઓ કાઢવામાં આવી હતી, જેમાં આદિવાસી નૃત્ય, મંડળી રાસ ગરબા, શિવજી ની ઝાખી, વગેરે વિવિધ પ્રકારની ઝાખી કાઢવામાં આવી હતી.દાહોદની ધર્મ પ્રેમીજનતાએ આ રામ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો, બાળકો મહિલાઓ જોડાયા હતા, આ રામ યાત્રા ઠક્કર ફળિયાસ થઈ, સ્ટેશન રોડ, ચાર થાંભલા, એ ડિવિઝન પોલીસ સ્ટેશન થઈ, આ યાત્રા બિરસા મુંડા સર્કલ થઈ પાછી આ યાત્રા ઠક્કર સ્થિત રામ મંદિર ખાતે આ યાત્રા નું સમાપન કરવામાં આવ્યું હતું.આ રામયાત્રામાં ઠંડી છાશના સ્ટોલ, શરબતનો સ્ટોલ હતું ઠંડા પાણીની બોટલ વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું આવ્યું હતું.

