ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા નગરમાં કલાલ સમાજના આરાધ્ય કુળદેવતા ભગવાન સહસ્ત્ર બાહુ અર્જુનની જન્મ જયંતીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી
ફતેપુરા નગરમાં કલાલ સમાજના આરાધ્ય કુળદેવતા ભગવાન સહસ્ત્ર બાહુ અર્જુન ની જન્મ જયંતી નિમિત્તે નગરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી કારતક સુધી સાતમની શુક્રવારના રોજ કલાલ સમાજના આરાધ્યદેવતા સહસ્ત્ર બાહુ અર્જુન ની જન્મ જયંતિ હોવાના કારણે ફતેપુરા નગરના કલાલ સમાજના લોકો દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખીને તેમના કુળદેવતાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી ફતેપુરા અંબાજી મંદિર ખાતે બેન્ડ અને ડીજેના તાલે ભગવાન સહસ્ત્ર બાહુ અર્જુનની છબી બગીમાં મૂકીને બગીને ફુલોથી શણગારવામાં આવી હતી અંબાજી મંદિર ખાતેથી નીકળેલી ભવ્ય શોભાયાત્રા નગરના પાછલા પ્લોટ વિસ્તાર મેન બજાર પોલીસ સ્ટેશન રોડ કામેશ્વર મહાદેવ મંદિર વિસ્તારમાં ફરીને અંબાજી મંદિર ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું શોભાયાત્રા પૂર્ણ થયા પછી મહા આરતી નું આયોજન કરવામાં આવ્યું હતું ફતેપુરા નગરના કલાલ સમાજના નાના-મોટા દરેક વ્યક્તિઓ ઉત્સાહભેર જોડાયા હતા બેન્ડ અને બેન્ટ અને ડીજેના તાલે નીકળેલી શોભાયાત્રામાં રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી આખા દિવસ દરમિયાન ભગવાન સહસ્ત્ર બાહુ અર્જુન ની પૂજા અર્ચના કરી ભવ્ય શોભાયાત્રા કાઢી મહા આરતી કરી મહાપ્રસાદ લઈ છુટાં પડ્યા હતા

