ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા
નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી ઉજવણી નિમિત્તે નીકળેલ રેલીનું મુસ્લિમ ઘાંચી સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું9મી ઓગસ્ટ વિશ્વઆદિવાસી દિવસની ઉજવણીની રેલી ફતેપુરા નગરમાં આવી પહોંચતા તેર ગોળા મુકામે મુસ્લિમ ઘાંચી સમાજ દ્વારા રેલીનું ફૂલહાર કરી પુષ્પવર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ રેલીમાં આવેલા આદિવાસી સમાજના ભાઈઓ બહેનોને ચા-પાણી નો પ્રોગ્રામ પણ મુસ્લિમ ઘાંચી સમાજ દ્વારા રાખવામાં આવેલ હતું આદિવાસી સમાજનું મુસ્લિમ સમાજ દ્વારા પુષ્પહાર કરી પુષ્પો વર્ષા કરી સ્વાગત કરતા અને ચા પાણીનો પ્રોગ્રામ રાખવામાં આવતા સુમેળભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું જે હિન્દુસ્તાનની ખાસિયત છે કે દરેક સમાજના લોકો એકબીજાના સમાજના તહેવારો ની હળી મળીને ઉજવણી કરતા હોય છે આવા દ્રશ્યો તમને હિન્દુસ્તાનમાં જ જોવા મળશે

