Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

ભાજપના ઈશારે પોલીસે કરી ગોપાલ ઈટાલીયાની અટકાયત,ઈશુદાન ગઢવીએ લગાવ્યો ગંભીર આરોપ

ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલીયાની ભાવનગર જિલ્લાના ઉમરાળા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.દ્વારકામાં કૃષ્ણ ભગવાન ને લઈને કરવામાં આવેલી ટિપ્પણીને લઈને તેની સામે રોષ જોવા મળ્યો હતો અને આહીર સમાજ દ્વારા તેની સામે રોષ ઠાલવીને ફરિયાદ નોંધાઈ હતી.જેના અનુસંધાને તેની સામે કાર્યવાહી થઇ છે.

તેની અટકાયત બાદ ગોપાલ ઈટાલીયા તે જામીન પર મુક્તિ કરી દેવામાં આવી છે.આ બનાવને લઈને ઈટાલીયાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે,ગુજરાતની જનતા દ્વારા ભ્રષ્ટ ભાજપને પૂર્ણ બહુમતિની સરકાર આપી દેવાને કારણે નવી સરકારે કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.ભાવનગર પોલીસે આજે મારી ગિરફ્તારી કરી છે મારા દાદીમાંનું કાલે નિધન થયું છે.સમગ્ર પરિવારમાં દુઃખનો માહોલ છે પરંતુ મને અરેસ્ટ કરી દેવામાં આવ્યો છે.ત્યારે આ જ કામ માટે બહુમતી મળી લાગે છે.તેવો કટાક્ષ કર્યો હતો.

તો આ બાદ આપના નેતા ઈશુદાન ગઢવીએ પણ એક ટ્વીટ કર્યું હતું અને તેણે કહ્યું હતું કે,આ ખુબજ દુઃખની વાત છે કે ગોપાલભાઈના દાદીમાનું નિધન થયું છે અને ભાજપ પોલીસનો દૂર ઉપયોગ કરી રહી છે.ગુજરાતનું ભાજપ મોડેલ આ છે? ભાજપ સરકાર ધારે એટલા જુલ્મ કરી લે અમે જનતા માટે લડતા રહીશું.

આપના નેતાઓ દ્વારા સમગ્ર મામલાને લઈને ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.

Share

Related posts

ફતેપુરા તાલુકાના નાના બોરીદામાં દોઢ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ પુલની તકલાદી કામગીરી: અકસ્માતમાં મોટી જાનહાની થવાનો ભય

gujaratjanekta

ઝાલોદ ફાયર વિભાગ દ્વારા અનાજ ગોડાઉને અચાનક આગ લાગે તો શું કરવું તે અંગે માહિતી આપવામાં આવી

gujaratjanekta

ગુજરાતમાં રખડતા ઢોર પકડવાની સરકારે જાહેરાત તો કરી પણ કેટલા દિવસ ચાલશે ? : એક વર્ષમાં 4,860 અકસ્માતના બનાવો – જાણો તમારા જીલ્લામાં કેટલા બનાવ બન્યા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial