Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

ભાજપના ઈશારે પોલીસે કરી ગોપાલ ઈટાલીયાની અટકાયત,ઈશુદાન ગઢવીએ લગાવ્યો ગંભીર આરોપ

ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલીયાની ભાવનગર જિલ્લાના ઉમરાળા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.દ્વારકામાં કૃષ્ણ ભગવાન ને લઈને કરવામાં આવેલી ટિપ્પણીને લઈને તેની સામે રોષ જોવા મળ્યો હતો અને આહીર સમાજ દ્વારા તેની સામે રોષ ઠાલવીને ફરિયાદ નોંધાઈ હતી.જેના અનુસંધાને તેની સામે કાર્યવાહી થઇ છે.

તેની અટકાયત બાદ ગોપાલ ઈટાલીયા તે જામીન પર મુક્તિ કરી દેવામાં આવી છે.આ બનાવને લઈને ઈટાલીયાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે,ગુજરાતની જનતા દ્વારા ભ્રષ્ટ ભાજપને પૂર્ણ બહુમતિની સરકાર આપી દેવાને કારણે નવી સરકારે કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.ભાવનગર પોલીસે આજે મારી ગિરફ્તારી કરી છે મારા દાદીમાંનું કાલે નિધન થયું છે.સમગ્ર પરિવારમાં દુઃખનો માહોલ છે પરંતુ મને અરેસ્ટ કરી દેવામાં આવ્યો છે.ત્યારે આ જ કામ માટે બહુમતી મળી લાગે છે.તેવો કટાક્ષ કર્યો હતો.

તો આ બાદ આપના નેતા ઈશુદાન ગઢવીએ પણ એક ટ્વીટ કર્યું હતું અને તેણે કહ્યું હતું કે,આ ખુબજ દુઃખની વાત છે કે ગોપાલભાઈના દાદીમાનું નિધન થયું છે અને ભાજપ પોલીસનો દૂર ઉપયોગ કરી રહી છે.ગુજરાતનું ભાજપ મોડેલ આ છે? ભાજપ સરકાર ધારે એટલા જુલ્મ કરી લે અમે જનતા માટે લડતા રહીશું.

આપના નેતાઓ દ્વારા સમગ્ર મામલાને લઈને ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.

Share

Related posts

રાજકોટ સ્થિત પાંચ હાર્ડવેર પ્રોજેક્ટ પર જીએસટીનાં દરોડા: કરોડોથી વધુ કરચોરી પકડાઈ

gujaratjanekta

મ્યુનિસિપલ શાળા માં લાલિયા વાડી મંજુરી વગર ભોજન સમારોહ કર્યો

Admin

ઝાલોદ તાલુકાના ગરાડુ ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત ઝાલોદ તાલુકા વિકાસ અધિકારીશ્રી કલ્પેશ ગઢવીના અધ્યક્ષ સ્થાને યોજાયો કાર્યક્રમ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial