Gujarat Jan Ekta
તાજા સમાચાર
જાણવા જેવુ

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ અંગે નિર્ણય લેવાઈ શકે છે, જાણો શું છે યુનિફોર્મ સિવિલ કોડ

 સંકેત પંડ્યા – એડિટર

આજે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈને જાહેરાત થાય તેવી શક્યતા છે. સમાન નાગરીક કાયદા મુજબ તમામને એક જ અધિકાર આપવામાં આવશે. ત્યારે વિગતવાર જાણો યુનિફોર્મ સિવિલ કોડ શું છે. 

એક દેશ એક નિયમ લાગુ કરવા માટેનો કાયદો

યુનિફોર્મ સિવિલ કોડતમામ ધાર્મિક સમુદાયો માટે એક દેશ એક નિયમ લાગુ કરવા માટેનો કાયદો છે. ભારતીય બંધારણની કલમ 44 ના ભાગ 4 માં યુનિફોર્મ સિવિલ કોડ શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ છે. કલમ 44 મુજબ, રાજ્ય ભારતના સમગ્ર પ્રદેશમાં નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા સુરક્ષિત કરવાનો પ્રયાસ કરે છે. આ કોડ લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, વારસો, દત્તક અને ઉત્તરાધિકાર જેવા ક્ષેત્રોને આવરી લે છે. આ સંહિતા એ આધાર પર આધારિત છે કે આધુનિક સભ્યતામાં ધર્મ અને કાયદા વચ્ચે કોઈ સંબંધ નથી. ભારતીય બંધારણના નિર્દેશક સિદ્ધાંતોની કલમ 44 નો હેતુ સંવેદનશીલ જૂથો સામેના ભેદભાવને દૂર કરવાનો અને સમગ્ર દેશમાં વિવિધ સાંસ્કૃતિક જૂથોને સુમેળ સાધવાનો છે.

1835માં તેનો અહેવાલ રજૂ કર્યો
 
યુનિફોર્મ સિવિલ કોડને લઈને બ્રિટિશ સરકારે 1835માં તેનો અહેવાલ રજૂ કર્યો હતો, જેમાં ગુનાઓ, પુરાવાઓ અને કરારો સંબંધિત ભારતીય કાયદાના સંહિતાકરણમાં એકરૂપતાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.  

આ કારણે યુનિફોર્મ સિવિલ કોડ શા જરૂરી 

ભારતમાં જાતિ અને ધર્મના આધારે જુદા જુદા કાયદા અને લગ્ન અધિનિયમ છે. તેના કારણે સામાજિક માળખું બગડી ગયું છે. આ જ કારણ છે કે દેશમાં સમાન નાગરિક સંહિતાની માંગ કરવામાં આવી છે જે તમામ જાતિ, ધર્મ, વર્ગ અને સંપ્રદાયને એક વ્યવસ્થા હેઠળ લાવે છે. એક કારણ એ છે કે અલગ-અલગ કાયદાઓને કારણે ન્યાયતંત્રને પણ અસર થાય છે. હાલમાં, લોકો લગ્ન, છૂટાછેડા વગેરે જેવા મુદ્દાઓના સમાધાન માટે પર્સનલ લો બોર્ડમાં જાય છે. ખાસ કરીને મહિલાઓ અને ધાર્મિક લઘુમતીઓનો સમાવેશ થાય છે જ્યારે આ કોડ બનાવવામાં આવશે ત્યારે તે કાયદાઓને સરળ બનાવશે. જે હાલમાં હિન્દુ કોડ બિલ, શરિયા કાયદો અને અન્ય જેવી ધાર્મિક માન્યતાઓના આધારે અલગ છે. 

Share

Related posts

જાણી લેજો / UPI દ્વારા 2000 રૂપિયાથી વધારેના પેમેન્ટ પર ટેક્સ લાગશે? સરકારે આપ્યો જવાબ

gujaratjanekta

આજે જ શરૂ કરો બમ્પર કમાણી કરાવતો આ બિઝનેસ, સરકાર કરશે મદદ: દર મહિને થશે લાખોનો ફાયદો

gujaratjanekta

બેદરકારી: વડોદરામાં સ્કૂલેથી છૂટેલા વિદ્યાર્થીઓને વાનચાલકે રસ્તામાં જ રંગોથી ધૂળેટી રમવા દીધી, બાળકોને કંઇ થયું તો જવાબાદાર કોણ, વાલી કે વાનચાલક?

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial