Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

ભૂત-પ્રેત પ્રિન્સિપાલના રાજીનામાની તૈયારી! સાહેબનો મસાલાનો વેપાર હવે તંત્રને ‘તીખો’ લાગ્યો! ACB ની એન્ટ્રીથી ફફડાટ – શું રાજીનામું સ્વીકારાશે?

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ

પ્રાપ્ત માહિતી પ્રમાણે પ્રસિદ્ધ થયેલા સરકારી શાળામાં ડિજિટલ પ્રોક્સી કૌભાંડ” ના સમાચાર બાદ શિક્ષણ જગતમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. પત્રકારત્વના પ્રહારથી ઘેરાયેલા પ્રિન્સિપાલ હવે કાયદાના સકંજામાંથી બચવા માટે ‘રાજીનામા’નો શોર્ટકટ અપનાવી રહ્યા હોવાની વિશ્વસનીય વિગતો પ્રાપ્ત થઈ છે. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મામલે લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ પણ વિગતો માંગી હોવાથી ભ્રષ્ટ તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

​પાપ છુપાવવા રાજીનામાનો દાવ?

​મળતી માહિતી મુજબ, પ્રિન્સિપાલ હવે પોતાની નોકરી બચાવવાને બદલે જેલ જવાથી બચવા માટે રાજીનામું મૂકવાની ફાઈલ તૈયાર કરી રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે, શું રાજીનામું આપવાથી વર્ષો સુધી સરકારી તિજોરીમાંથી લીધેલો મફતનો પગાર અને બાળકોના ભવિષ્ય સાથે કરેલી રમત માફ થઈ જશે? જાણકારોનું કહેવું છે કે, તપાસથી બચવા માટે આ એક આયોજિત વ્યૂહરચના હોઈ શકે છે.

​પ્રોક્સી માસ્તરોમાં પણ ફફડાટ 

​જે શિક્ષકે પ્રિન્સિપાલની ગેરહાજરીમાં તેમનું આઈ.ડી. વાપરીને હાજરી પૂરતા હતા, હવે તે શિક્ષક પણ કાયદાકીય ગૂંચવણમાં ફસાયા છે. ACB ની તપાસ જો ઉંડાણપૂર્વક થશે, તો આ પ્રોક્સી માસ્તરની નોકરી પર પણ તલવાર લટકી રહી છે. તંત્રમાં ચર્ચા છે કે “સાહેબ તો ડૂબશે, પણ સાથે પ્રોક્સી ભક્તને પણ લેતા જશે.”

Share

Related posts

વિદેશી દારૂ વેચતા બુટલેગરો પર ઝાલોદ પોલીસની લાલ આંખ : 78,70,203 નો વિદેશી દારૂ સાથે બે વ્યક્તિની અટકાયત કરી

gujaratjanekta

ખાનપુરના દેગામડા ગામે મહીસાગર નદીના પવિત્ર કિનારે અંદાજિત ₹૧.૫ કરોડના માતબર ખર્ચે નવનિર્મિત આધુનિક “શ્રી વિષ્ણુલોક ધામ (મુક્તિધામ)”નું ૧૩ જૂને ભવ્ય લોકાર્પણ

gujaratjanekta

રાજકોટવાસીઓ બેસબરીનો આવશે આજે અંત: વડાપ્રધાન મોદી ત્રણ ઓરબ્રિજનું લોકાર્પણ કરી ટ્રાફિકની સમસ્યાનો કરશે હલ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial