કિશોરસિંહ સોલંકી
તારીખ 2 /2 /24 ને શુક્રવારના રોજ ભારતના મહાન સંત રામાનંદ ચાર્ય નો જન્મ મહોત્સવ ધૂમધામ થી મનાવવામા આવ્યો હતો, જેમાં સવારે આઠ કલાકે રામાનંદ પાર્કમાંથી મુંબઈ વાળા ટીલા દ્વારા ગધાચાર્ય મંગલ પીઠા દીશ્વરપરમ પૂજ્ય શ્રી શ્રી 1008 શ્રી માધવાચાર્યજી મહારાજ તેમજ શ્રી મહામંડલેશ્વર પરમ પૂજ્ય જગદીશદાસજી મહારાજી એવમ અન્ય સાધુ સંતોના સાનિધ્યમાં શોભાયાત્રા નું તેમજ કળશ યાત્રાનું ભવ્ય આયોજન કાઢવામાં આવે હતું આ શોભા યાત્રા સમાપ્ત થયા, બાદ સાધુ સંતો ફૂલહાર દ્વારા બહુમાન કરવામાં આવી હતી, ત્યારબાદ રામાનંદ ચાર્ય જન્મ મહોત્સવ આરતી પૂજા કરવામાં આવી હતી, ત્યારબાદ મહાપ્રસાદિ ભંડારો બપોરના 12:30 કલાકે ચાલુ કરી દેવામાં આવી હતી આ શોભા યાત્રામાં ધર્મ પ્રેમી જનતા આવનાર દરેક ભાઈઓ તથા બહેનોએ અને બાળકો એ ભંડારાનો પ્રસાદ નો લાભ લીધો.

