ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના તહેવારો બાકી રહ્યા છે.તેવામાં પતંગના શોખીનો દ્વારા માંજા અને પતંગો તૈયાર કરવામાં આવી રહી છે.આ બધામાં સુરત અને અમદાવાદની દોરી તેમજ ખંભાતની પતંગો નો તો અનોખો ક્રેઝ રહેતો હોય છે.પરંતુ તમે વડોદરાના એક મહાશય જે માંજા માટે એવા વખાણય છે કે ત્યાં અત્યારથી જ લાઈન લાગી જતી હોય છે.
અહીં વાત થઇ રહી છે.વડોદરાના લખનવી માંજા વિષે જે પતંગ રસિયાઓમાં એક આગવી ઓળખ ધરાવે છે.આ દુકાનના માલિક એટલા ફેમસ છે કે ત્યાં માંજો તૈયાર કરાવવા માટે લોકોની લાંબી લાઈનો લાગે છે.આ માત્ર આજ કાલની વાત નથી છેલ્લા 70 વર્ષથી તેઓ અહીં અલગ જ ઓળખ ધરાવે છે.અહીં કેટલાક લોકો આ દુકાનને લખનવી માંજા વાળાના નામથી ઓળખે છે.તો કેટલાક લોકો કલ્લુભાઈ માંજાવાળાના નામથી ઓળખે છે.
આ કલ્લુભાઈ અને તેમનો પરિવાર છેલ્લા 70 વર્ષથી વડોદરાને પોતાની કર્મભૂમિ બનાવી છે.લખનવી અહીંયા વડોદરાના મહારાજાને મળવા માટે આવ્યા હતા.જોકે ત્યાર બાદ તેમણે હાથથી દોરો માંઝવાની શરૂઆત કરી હતી.તેમના દોરી થી ઉડાવી પતંગ કોઈના પણ પેચ કાપી નાખે છે.70 વર્ષમાં ધીમેં ધીમે સમય જતા તેઓ એટલે ફેમસ થઇ ગયા કે તેમનો માઝો અત્યાર લેવા માટે લાબી લાઈનો લાગી જાય છે.
તેઓ અને તેમનો પરિવાર વડોદરામાં દોરો સુતે છે અને રંગ લગાવે છે.રોજના 250 જેટલા રીલ માજે છે.જેથી તેમનો ખુબજ માંગ રહે છે.

