Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

‘પઠાણ’ની બેશર્મી સામે અસલી ભગવો ધ્રુજારો: કાં દ્રશ્યો કાપો, કાં કેસરિયા કરાશે

ફિલ્મ પઠાણમાં હિરોઈને નાના પહેરેલા ભગવા રંગને બેશરમ રંગ કહેવામાં આવી રહ્યો છે જેને લઇ સમગ્ર હિન્દુ સમાજ સાધુ સંતોમાં વિરોધનો સુર પ્રવર્તે છે આ મુદ્દે અગાઉ સોશિયલ મીડિયાના મંચ મારફત વિરોધ નોંધવામાં આવ્યો હતો. આ મુદ્દે જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે ભવનાથ સાધુ મંડળના ઇન્દ્રભારતી સહિતના સંતો મહંતો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનો ને એ એકત્ર થઈ ફિલ્મમાંથી ભગવા રંગને બેશરમ કહેવામાં આવે છે તેને હટાવવામાં નહીં આવે તો હજુ પણ ઉગ્ર વિરોધ થવાનો છે તેવી ચિમકી આપતુ આવેદનપત્ર કલેકટરને આપી વિરોધ નોંધાવ્યો હતો.

આ સમગ્ર મુદ્દે ભવનાથ સાધુ મંડળના ઇન્દ્ર ભારતીએ જણાવ્યું હતું કે સમગ્ર ફિલ્મનો વિરોધ નથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ અર્થતંત્રનો એક ભાગ છે પરંતુ ફિલ્મમાં ભગવા રંગને બેશરમ કહેવામાં આવી રહ્યો છે તો શું ભગવો રંગ બેશરમ છે ફિલ્મમાં ભગવાન રંગ વિશે બોલવાવાળા અને ભગવો રંગ પહેરવાવાળા બેશરમ છે તેવા આક્ષેપો કર્યો હતો તેમણે ઉમેર્યું હતું કે હિન્દુ સંગઠનનો સાથે મુસ્લિમોએ પણ વિરોધ નોંધાવ્યો છે વિરોધ દાખવીને આવેદનપત્ર સુપરત કરવામાં જોડાયેલા લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ જણાવ્યું હતું કે ઘણા લોકો કહે છે કે અગાઉ ઘણા ફિલ્મમાં વાંધાજનક શબ્દો અને દ્રશ્યો બતાવ્યા હતા ત્યારે કેમ વિરોધ ન કર્યો તેનો જવાબ એ કે, પોતાના પિતાનો ફોટો બનાવી તેમાં બેશરમ લખજો!

Share

Related posts

ગલીયાકોટ બાબજી શહીદના ઉર્સ પર જતા મહેમાનો માટે ઝાલોદ આરટીઓ કચેરી નજીક ચા નાસ્તા અને જમનનો ઈંતેજામ રાખવામાં આવેલ છે

gujaratjanekta

દાહોદ જિલ્લા કલેકટરશ્રી યોગેશ નીરગુડે દ્વારા ઝાલોદ તાલુકાના ટાઢાગોળા ગામે સામાન્ય ગ્રામપંચાયત દફતર તપાસણી કરી સાથે ગામની આકસ્મિક મુલાકાત લીધી હતી

gujaratjanekta

વિકસિત ભારત સંકલ્પ યાત્રા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial