Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ જાણવા જેવુ

માં અંબાના મંદિરે દર્શનાર્થીને મળશે નિ:શુલ્ક ઠંડુ અને શુદ્ધ પાણી

ગિરનાર પર્વત પર બિરાજમાન માં અંબાના મંદિર પરિસર નજીક પીવાના પાણીની વ્યવસ્થા ન હતી. પરિણામે ગિરનાર પર્વત પર આવતા યાત્રિકોને ઉપર આવ્યા બાદ પીવાના પાણીનો મોંઘી બોટલો ખરીદવી પડતી હતી જેના કારણે ખર્ચ વધી જતો હતો અને સાથે પ્લાસ્ટિકનું પ્રદૂષણ પણ વધી જતું હતું ત્યારે રોપ-વે નું સંચાલન કરતી કંપની ઉષા બ્રેકો ફાઉન્ડેશન દ્વારા અંબાજી મંદિર પરિસર ખાતે આરઓ પ્લાન્ટ સાથેનું નિ:શુલ્ક પાણીનું પરબ શરૂ કરાયું છે આ પાણીના પરબનું ઉદ્ઘાટન યાત્રિક દંપતીના હસ્તે કરવામાં આવ્યું હતું આ તકે મંદિર ટ્રસ્ટના પૂજારીઓ મહંત તનસુખગીરી બાપુ ઉષા બ્રેકો કંપનીના રેસીડેન્ટ મેનેજર રાજેશભાઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કંપની દ્વારા પરબ શરૂ કરાતા હવે યાત્રિકો નિ:શુલ્ક શુદ્ધ અને ઠંડુ પાણી મળી રહેશે ઉષા બ્રેકો કંપની દ્વારા 500  લીટરની ટાંકી મુકાઈ છે પર્વત પર પાણી ન હોય કંપની દ્વારા તળેટીમાંથી પાણી ભરીને આ પાણી કાર્ગો રોપ-વે દ્વારા ઉપર લાવવામાં આવે છે આમ હવે ગિરનાર પર આવતા યાત્રિકોને પાણીની મોંઘી પ્લાસ્ટિકની બોટલ ખરીદવી નહીં પડે.

Share

Related posts

દાહોદ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી નેત્રમ શાખાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

gujaratjanekta

ગરબાડા તાલુકાના અભલોડ ગામની શ્રી વિવેકાનંદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા અભલોડ ખાતે કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ ની ઉજવણી

gujaratjanekta

GTU ખાતે 2 દિવસીય “ આરોગ્યમ પ્રબંધમ – ધ ન્યૂ એરા ઑફ હેલ્થકેર” વિષય પર કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial