Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

મેટ્રો આવતા દિવાળીની રજાઓમાં એએમટીએસને નથી મળતા મુસાફરો, AMTSને રોજનું 10 થી 12 લાખનું નુકસાન

 સંકેત પંડ્યા – એડિટર

દિવાળી દરમિયાન મુસાફરોની સંખ્યામાં ઘટાડો થવાના કારણે AMTSને રોજનું 10 થી 12 લાખનું નુકસાન થઈ રહ્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. 

અમદાવાદમાં દિવાળીના છેલ્લા એક સપ્તાહમાં એએમટીએસ બસના મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને રોજની 10 થી 12 લાખની આવકને પણ મોટો ફટકો પડ્યો છે. ખાસ કરીને દિવાળીના તહેવારના છેલ્લા સપ્તાહે દૈનિક આવકમાં ફટકો પડતા એએટીએસને વધુ નુકશાન પહોંચ્યું છે. કારણ કે શહેરીજનો દિવાળીની ખરીદીમાં વ્યસ્ત છે અને કેટલાક ઘરેથી નીકળી ગયા છે અને કેટલાક પ્રવાસ પર ગયા છે. આ ઉપરાંત એએમટીએસ છોડીને લોકો મેટ્રો તરફ પણ વળ્યા છે. બીજી તરફ દિવાળીના દિવસે 60 હજારથી વધુ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી અને મેટ્રોની કુલ આવક 1.5 કરોડ સુધી પહોંચી ગઈ.

આ ઉપરાંત અન્ય કારણો પણ છે. શહેરના કોટ વિસ્તારમાં કાલુપુરથી થલતેજ અને વસ્ત્રાલથી અમરાઈવાડી સુધીના રૂટ પર દોડતી મેટ્રો રેલનું સસ્તું ભાડું પણ મેટ્રો રેલ તરફ જવા લોકોને આકર્સી રહ્યું છે.

મહાનગર નગરપાલિકાની સૌથી પરિવહન સેવા એટલે કે, એએમટીએએસની આર્થિક સ્થિતિ ખથડી રહી છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની તિજોરીમાં તેના કારણે ફટકો પડી રહ્યો છે. ખાસ કરીને તેના કારણે નુકશાનીનો સામનો પેસેન્જર ના મળતા કરવો પડી રહ્યો છે. 

Share

Related posts

ઝાલોદ તાલુકાના આરોગ્ય કેન્દ્રના કર્મચારીને આરોગ્ય લક્ષી સેવાઓ માટે ગણતંત્રના દિવસે સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું

gujaratjanekta

ઝાલોદ તાલુકામાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અન્વયે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત શંકરપુરાના સરપંચ સુરેશભાઈ નુરજીભાઇ ડામોર દ્વારા નિશ્ચય પોષણ કીટ વિતરણ કરવામાં આવી

gujaratjanekta

દાહોદ જિલ્લામાં મતદાતા જાગૃતિ માટે જિલ્લા ચૂંટણી તંત્રની સાહસિક પહેલ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial