Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

કાશી-કેદારનાથની જેમ બદલાશે બદ્રીનાથ ધામની તસવીર, પીએમ મોદીએ વિતાવી રાત, આ છે વિકાસનો માસ્ટર પ્લાન

 સંકેત પંડ્યા – એડિટર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે (21 ઓક્ટોબર) ઉત્તરાખંડમાં કેદારનાથ ધામની મુલાકાત લીધા બાદ બદ્રીનાથ ધામ ગયા હતા અને પૂજા કરી હતી. પીએમ મોદી રાત્રે બદ્રીનાથ ધામમાં રોકાયા હતા અને મોડી રાત સુધી વિકાસ કાર્યોને લઈને બેઠક કરી હતી. એવું માનવામાં આવે છે કે કાશી અને કેદારનાથ ધામ બાદ હવે બદ્રીનાથ ધામની તસવીર બદલાવાની છે.

આ મુલાકાતમાં પીએમ મોદીએ હિમાલય ક્ષેત્રમાં બે રોપવેનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે લોકોને કહ્યું, “તમારી વચ્ચે આવીને મને બે રોપ-વે પ્રોજેક્ટ્સનો લહાવો મળ્યો છે.” પીએમ મોદીએ જે બે રોપવેનો શિલાન્યાસ કર્યો તેમાં કેદારનાથ રોપવે અને હેમકુંડ સાહિબ રોપવેનો સમાવેશ થાય છે.

શું છે વિકાસ કામોનો માસ્ટર પ્લાન 

કેદારનાથ ધામની જેમ બદ્રીનાથ ધામમાં પણ વિકાસ કાર્યોનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેના પર કામ શરૂ થઈ ગયું છે. ધામના પુનઃનિર્માણના પ્રથમ તબક્કામાં 280 કરોડનો ખર્ચ કરવામાં આવશે. બદ્રીનાથ ધામમાં ‘અરાઇવલ પ્લાઝા’ બનાવવામાં આવશે, જ્યાં ભક્તોને એક છત નીચે અનેક સુવિધાઓ મળશે. અલકનંદા નદીના કિનારે રિવરફ્રન્ટ બનાવવામાં આવી રહ્યો છે, આ મંદિરની આસપાસની સુંદરતામાં વધારો કરશે. બદ્રીનાથ ધામમાં જ આંતર-રાજ્ય બસ ટર્મિનલ બનાવવામાં આવશે, જેના કારણે ધામમાં આવતા યાત્રિકોને યાત્રા સંબંધિત સુવિધાઓ મળશે.

ગુજરાતની કંપનીએ તૈયાર કર્યો માસ્ટર પ્લાન 

બદ્રીનાથ ધામના વિકાસ માટેનો માસ્ટર પ્લાન ગુજરાતની કંપની INI દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ધામનું વિકાસ કાર્ય ત્રણ તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. પીએમ મોદીએ કેદારનાથ અને બદ્રીનાથ ધામની તેમની મુલાકાતની કેટલીક તસવીરો ટ્વિટર પર શેર કરી અને સંસ્કૃતમાં શ્લોક પણ લખ્યા. પીએમ મોદીએ આ અવસરે સેલ્ફ હેલ્પ ગ્રુપની મહિલાઓને સંબોધિત કરી હતી. તેમણે દેશવાસીઓને અપીલ કરી હતી કે જ્યારે પણ કોઈ વ્યક્તિ ક્યાંક ફરવા જાય છે, ત્યારે તેણે તેના પ્રવાસના બજેટનો ઓછામાં ઓછો પાંચ ટકા તે જગ્યાની વસ્તુઓ ખરીદવામાં ખર્ચ કરવો જોઈએ, આનાથી ત્યાંના લોકોને રોજગારમાં મદદ મળશે.

શું કહ્યું પીએમ મોદીએ?

પીએમ મોદીએ કહ્યું, “આખા ભારતમાંથી જે પ્રવાસીઓ આવે છે, જે યાત્રીઓ આવે છે, જ એડવેન્ચર માટે આવે છે, જ શ્રદ્ધા માટે આવે છે, જે કોઈપણ રીતે આવે છે, જીવનમાં વ્રત બનાવો કે તમે યાત્રા પર જેટલી રકમ ખર્ચ કરો છો, મુસાફરીનો ખર્ચો કરો છો, ખાવાનો ખર્ચ કરો છો, મોટી હોટલોમાં રોકાવા માટે ખર્ચ કરતા હશો, તમે મનમાં એક વ્રત બનાવો, હું બધા તમામ 130 કરોડ દેશવાસીઓને ભારતના એ ગામથી જણાવી રહ્યો છું, ચીનની સરહદ પર ભારતનું રક્ષણ કરતા ગામ વચ્ચેથી બોલી રહ્યો છું, હું તેમના તરફથી બોલી રહ્યો છું, તમે જ્યાં પણ જાઓ મુસાફરી કરવા માટે, આ મુશ્કેલ પ્રદેશમાં આવો અથવા પુરી જાઓ અથવા કન્યાકુમારી અથવા સોમનાથ જાઓ, જ્યાં પણ જાઓ, એક સંકલ્પ કરો, જેમ કે હું વોકલ ફૉર લોકલની વાત કરું છું ને, હું આજે બીજા સંકલ્પ માટે પ્રાર્થના કરું છું અને દેશવાસીઓને પ્રાર્થના કરવાનો મારો અધિકાર છે, હું આદેશ આપી શકતો નથી, હું પ્રાર્થના કરી શકું છું, તમે જે રકમ ખર્ચો છો, ઓછામાં ઓછા પાંચ ટકા નક્કી કરો, કુલ પ્રવાસ ખર્ચના પાંચ ટકા, જો તમે સો રૂપિયા ખર્ચો છો, તો તેમાંથી પાંચ રૂપિયા તે વિસ્તારમાં સ્થાનિક ઉત્પાદન ગમે તે હોય, તમારે સ્થાનિક લોકો જે બનાવે છે તે જરૂર ખરીદો. જો તમારા ઘરમાં હોય તો બીજું કંઈક લઈને જાઓ, કોઈને ભેટ આપો, પણ ત્યાંથી ચોક્કસ લઈ જાઓ. હું તમને ખાતરી આપું છું કે આ બધા ક્ષેત્રોમાં રોજી રોટી મળી જશે.”

Share

Related posts

ઝ।લોદ ખાતે મુક બધીર દિવ્યાંગ ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો, સ્વરોજગાર માર્ગદર્શન અને અનુબંધમ નામ નોંધણી કેમ્પ યોજાશે

gujaratjanekta

ફતેપુરા ખાતે સ્વાતંત્ર્ય દિન નિમિતે ફતેપુરા મામલતદાર ના હસ્તે ધ્વજરોહણ કરવામાં આવ્યું

gujaratjanekta

ઝાલોદ અગ્રવાલ સોસાયટી પાછળ આવેલ ડંપીંગ યાર્ડનો કચરો બાળવામાં આવતા તેના પ્રદૂષિત ધુમાડા થી સ્થાનિકોમા આક્રોશ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial