Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

વડોદરામાં દક્ષ પટેલના હત્યારાઓને ફાંસીની સજા આપવાની માંગ સાથે પટેલ સમાજે મૌન રેલી કાઢી .

 સંકેત પંડ્યા – એડિટર
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના રહેવાસી અને એમ.એસ. યુનિવર્સિટીમાં કોમર્સના બીજા વર્ષમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટ દક્ષ પટેલની હત્યા કરનારને ફાંસી આપવાની માગણી સાથે પટેલ સમાજ દ્વારા વિશાળ મૌન રેલી કાઢવામાં આવી હતી. નવલખી મેદાન ખાતેથી નીકળેલી આ રેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી. અને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. મૌન રેલીમાં જોડાયેલા તમામ લોકોએ હત્યારાને ઝડપથી ફાંસીની સજા આપવા માગણી કરવામાં આવી હતી. સયાજીગંજ અંલકાર ટાવરના બેઝમેન્ટમાં ફિલ્મી ઢબે કરવામાં આવેલી હત્યાએ સમગ્ર શહેરમાં સનસનાટી મચાવી મૂકી છે. બીજી બાજુ આ બનાવે પટેલ સમાજને પણ હચમચાવી નાંખ્યો છે. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં દક્ષ પટેલના હત્યારા પાર્થ કોઠારીને ઝડપી પાડી કાર્યવાહી શરૂ કરી દીધી છે. પુરાવા એકત્ર કરવા માટે સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રક્સન કરવામાં આવ્યું છે. આજે તેને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવશે. પોલીસ તંત્ર દ્વારા પણ હત્યારાને કડકમાં કડક સજા મળે તે માટે ઝીણવટભરી તપાસ કરીને વધુમાં વધુ પુરાવા એકત્ર કરી રહી છે. પટેલ સમાજને હચમચાવી નાંખનારા આ બનાવ બાદ ભવિષ્યમાં આવો કોઇ બનાવ ન બને તે માટે દક્ષ પટેલના હત્યારાને કડકમાં સજા મળે તે માટે વિશ્વ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને સરદાર પટેલ સેવા દળ દ્વારા આજે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નવલખી મેદાન ખાતેથી સવારે નીકળેલી મૌન રેલીમાં મોટી સંખ્યામાં પટેલ સમાજના અગ્રણીઓ, યુવાનો, યુવતીઓ દક્ષ પટેલને ફાંસીની સજા આપવા, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવો, પરિવારને અને પટેલ સમાજને ન્યાય આપવાની માંગ સાથે પ્લે-કાર્ડ સાથે જોડાયા હતા. નવલખી મેદાન ખાતેથી નીકળેલી પટેલ સમાજની નીકળેલી વિશાળ મૌન રેલીએ માર્ગો ઉપર ભારે આકર્ષણ જમાવ્યું હતું. નવલખી મેદાન ખાતેથી નીકળેલી રેલી મહારાણી શાંતા દેવી હોસ્પિટલ ચાર રસ્તા થઇ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી. અને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. આવેદન પત્રમાં કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
Share

Related posts

અનવરપુરા ગામમાં પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા અને જાગૃતિ બાબતે બેઠક યોજાઈ

gujaratjanekta

નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, દાહોદ ખાતે વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી કરવામાં આવશે

gujaratjanekta

દાહોદ દ્વારા ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો તથા સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજવામાં આવ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial