ફતેપુરા શબ્બીરભાઈસુનેલવાલા
ફતેપુરા પાછલા પ્લોટ માં આવેલ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય ખાતે શિવ જયંતિ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું ફતેપુરા બ્રહ્માકુમારી સંચાલિકા દીદી નીતા દીદી પ્રસંગને અનુરૂપ પ્રવચન કર્યો હતો ગુજરાત સરકારના મંત્રી રમેશભાઈ કટારા ઉપસ્થિત રહ્યા હતા ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચ પ્રવીણભાઈ સરપંચ હાજર રહ્યા હતાશિવરાત્રીએ પરમાત્મા શિવ અવતરણનો યાદગાર દિવસ છે વિશ્વના કરોડો આત્માઓનો પોકાર સાંભળી સર્વ માનવ બંધુઓને સત્ય જીવનનો રાહ દર્શાવવા પરમાત્મા શિવનું ભારતભૂમિમાં માઉન્ટ આબુ ની પવિત્ર ધરતી પર દિવ્ય અવતરણ થઈ ચૂકેલ છે સ્વયમ પરમાત્મા દિવ દિવ્ય બુદ્ધિ રૂપિ નેત્ર પ્રદાન કરે છે અને જ્ઞાનનો પ્રકાશ આપે છે જેના દ્વારા આપણું જીવન સુખ શાંતિમય બને છે તો ચાલો આપણે આ પ્રસંગને વધાવી આપણાથી બનતું ધાર્મિક કાર્યમાં ભાગ લઈ શિવ મહોત્સવની ઉજવણી કરીએ અને કરાવીએઆ પ્રસંગે નીતા દીદી તેમજ બેલા દીદી તેમજ આજુબાજુની સર્વે બહેનો દ્વારા પ્રોગ્રામને સક્સેસ બનાવ્યો હતો અને ગામના આગેવાનો તેમજ શિક્ષકબંધુઓ ભાઈઓ બહેનો સર્વે પધારી શિવ ભક્તિમય બન્યા હતા

